નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ત્રીજા વિદેશી વિશિષ્ટ મહાનુભાવ- ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ લગભગ 6 કલાકના ટૂંકા રોકાણ માટે ગુજરાત આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી પણ આ પ્રવાસમાં સામેલ થવાના છે.
આ મહાનુભાવોની મુલાકાતમાં રોડ-શો, બાવળા ખાતે આઇ-ક્રિયેટ સંસ્થાની વિઝિટ તથા પ્રાંતિજના વદરાડ ગામે શાકભાજી ઉછેરના સેન્ટર ઓફ એક્સેલન્સની વિઝિટ- મુખ્ય કાર્યક્રમો રહેશે. અગાઉ શી જિનપિંગ તથા જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે.
વડાપ્રધાન મોદી નેતન્યાહૂ સાથે અમદાવાદ એરપોર્ટથી સાબરમતી ગાંધી આશ્રમ સુધી 9 કિલોમીટરનો રોડ-શો કરવાના છે. રૂટ ઉપર ગુજરાત સહિત વિવિધ રાજ્યોના કલાવૃંદો તેમની ભાતિગળ સંસ્કૃતિ નૃત્ય સ્વરૂપે રજૂ કરશે.
PM મોદી અને ઇઝરાયેલના વડા પ્રધાનના આજના કાર્યક્રમ
10:30 મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન
10:40 ઇઝરાયેલના વડા પ્રધાનનું એરપોર્ટ ખાતે આગમન
10:50 રોડ- શો માટે પ્રસ્થાન
11:10 ગાંધીઆશ્રમ ખાતે આગમન
11:30 એરપોર્ટ જવા પ્રસ્થાન
11:45 એરપોર્ટથી હેલિકોપ્ટરથી બાવળા જવા રવાના
12:15 આઈ-ક્રિયેટ સંસ્થામાં આગમન
સવા બે કલાક બિલ્ડિંગનું ઉદ્ઘાટન, સ્ટોલ્સની મુલાકાત, ભોજન તથા સ્ટેજ પ્રોગ્રામ
2:30 હેલિકોપ્ટરથી પ્રાંતિજના ગડરાડ ગામે જવા રવાના
4:45 હેલિકોપ્ટર દ્વારા એરપોર્ટ ખાતે આગમન
5:00 બંને PM દિલ્હી જવા રવાના