વડોદરામાં કોંગ્રેસે ડોર ટુ ડોર પ્રચારની કરી શરૂઆત

New Update
વડોદરામાં કોંગ્રેસે ડોર ટુ ડોર પ્રચારની કરી શરૂઆત

વડોદરા કોંગ્રેસ દ્વારા વાડી ખાતે આવેલા શ્રી શનિદેવ મંદિરનાં દર્શન કરીને ઘેર-ઘેર પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી સિધ્ધાર્થ પટેલે આક્ષેપ કર્યો હતો કે, પાસનાં નેતા હાર્દિક પટેલની સીડી બહાર પાડવામાં ભાજપાનું જ ષડયંત્ર છે. આવનારા દિવસોમાં ભાજપા આથી નિમ્ન કક્ષાએ ઉતરી શકે તો નવાઇ નહિં.

publive-image

કોંગ્રેસ અગ્રણી સિધ્ધાર્થ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા જવાહરલાલ નહેરુના જન્મદિનથી ઘેર-ઘેર પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકરો દરેક મતદારનાં ઘરે જઇ ભાજપાનાં જુઠ્ઠા વચનોને ખુલ્લા પાડશે. અને કોંગ્રેસ સત્તામાં આવશે તો ગુજરાતના વિકાસ માટે કયા કામો કરશે તેની માહિતી આપશે.

publive-image

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સમગ્ર ગુજરાતમાંથી જનસમર્થન મળી રહ્યું છે. સાથે ગુજરાતની પ્રજાએ પણ કોંગ્રેસને સત્તા સોંપવાનું મન બનાવી લીધું છે. આ વખતે ગુજરાતની પ્રજા કોંગ્રેસને સમર્થન આપશે અને ભાજપાને જાકારો આપશે તે નક્કી છે. ગુજરાતમાં કોંગ્રેસ જ્યાં જાય છે ત્યાં લોકોનું અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે.

publive-image

વધુમાં સિધ્ધાર્થ પટેલે જણાવ્યુ હતુ કે અમને શંકા છે કે, આગામી દિવસોમાં ભાજપા નીચલી હદ સુધી જશે. પરંતુ, કોંગ્રેસ તેનો પ્રતિકાર કરવા તૈયાર છે. ભાજપાના જુઠ્ઠાણાનો પર્દાફાશ થઇ ગયો છે. ગુજરાતની પ્રજા પણ હવે ભાજપને ઓળખી ગઇ છે. આથી જ ગુજરાતની પ્રજાએ ગુજરાતની સત્તા કોંગ્રેસને સોંપવાની તૈયારી કરી દીધી છે. તેમ સિધ્ધાર્થ પટેલે વધુમાં ઉમેર્યું હતું.

આજથી કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલા ઘેર-ઘેર પ્રચાર અભિયાનમાં કોંગ્રેસ અગ્રણી સિધ્ધાર્થ પટેલની સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ), ચિરાગ ઝવેરી, જગદીશ બ્રહ્મભટ્ટ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Latest Stories