વિજય રૂપાણીની જીતએ કાર્યકર્તાઓની જીત છે, અંજલિ રૂપાણી

વિજય રૂપાણીની જીતએ કાર્યકર્તાઓની જીત છે, અંજલિ રૂપાણી
New Update

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચર્ચાનું કેન્દ્ર બની હતી તેમજ 182 બેઠકો પૈકી જો કોઈ સીટ હાઈપ્રોફાઈલ બની હોઈ તો તે હતી રાજકોટ વિધાનસભા 69ની બેઠક. આ બેઠક પરથી વજુભાઈ વાળા, નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી જીતી ચુક્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ચુક્યા છે. રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી 54 હજારથી પણ વધુ મતની લિડથી જીતી ચુક્યા છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં ધર્મપત્ની અંજલિબેન રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે જીત માત્ર વિજય રૂપાણીની નથી થઈ પરંતુ જીત કાર્યકર્તાઓની થઈ છે, જીત વિકાસની થઈ છે. જ્યારે હાર વંશવાદ અને અરાજકતાની થઈ હોવાનું જણાવ્યુ હતુ.

#Gujarat Election 2017 #સ્ત્રી
Here are a few more articles:
Read the Next Article