વિધાનસભાનાં બીજા તબક્કાનાં ચૂંટણી પ્રચારનાં પડઘમ સાંજથી થશે શાંત

New Update
વિધાનસભાનાં બીજા તબક્કાનાં ચૂંટણી પ્રચારનાં પડઘમ સાંજથી થશે શાંત

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી 14મી ડિસેમ્બરે યોજાનાર છે. તેથી મંગળવારે સાંજે પાંચ વાગે પ્રચારનાં પડઘમ શાંત થઇ જશે. પ્રચારનાં આખરી દિવસોમાં ભાજપ-કોંગ્રેસે આક્રમક પ્રચાર કરી એડીચોટીનું જોર લગાવ્યું છે. મંગળવારે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓના અનેક સ્થળોએ જાહેરસભા-રેલીઓ યોજાનાર છે.

બીજા તબક્કાની ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. પ્રથમ તબક્કામાં તો 68 ટકા મતદાન નોંધાયુ હતું. બીજા તબક્કાની ચૂંટણીમાં મતદારો કેવો ઉત્સાહ દાખવશે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે.

Latest Stories