વીસ વર્ષ પહેલાંના સંકલ્પ મુજબ વિનોદ ભટ્ટના પાર્થિવ શરીરનું સાંજે પાંચ વાગ્યે દેહદાન કરાશે

વીસ વર્ષ પહેલાંના સંકલ્પ મુજબ વિનોદ ભટ્ટના પાર્થિવ શરીરનું સાંજે પાંચ વાગ્યે દેહદાન કરાશે
New Update

લાંબા સમયથી માંદગી સામે ઝઝુમી રહેલાં વરિષ્ઠ હાસ્યલેખક વિનોદ ભટ્ટે ઘણાં વરસો અગાઉ દેહદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ મુજબ તેમના પાર્થિવ દેહનું મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસઅર્થે દાન કરવામાં આવશે. બુધવારે સાંજે પાંચ વાગ્યે રેડ ક્રોસ સોસાયટી દ્વારા વિનોદભાઈના ધર્મયુગ કોલોની, કાંકરિયા સ્થિત ઘરે જઈને દેહદાન સ્વિકારવામાં આવશે.

અગાઉ વીસ વર્ષ પહેલાં વિનોદભાઈ ગંભીર માંદગીને લીધે કર્ણાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા એ વખતે જ તેમણે દેહદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કરી દીધો હતો. એ મુજબ, સદગતના પરિવારજનોએ તેમની અંતિમ ઈચ્છાને માન આપવાનો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે, અગાઉ વરિષ્ઠ હાસ્યકાર તારક મહેતાની ઈચ્છા મુજબ તેમના પાર્થિવ દેહનું પણ દેહદાન કરવામાં આવ્યું હતું. એ પરંપરામાં હવે વિનોદ ભટ્ટનું નામ પણ ઉમેરાશે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article