વોટ્સએપ ની સુણાવની સુપ્રીમ કોર્ટમાં થશે

New Update
વોટ્સએપ ની સુણાવની સુપ્રીમ કોર્ટમાં થશે

એપ ચાલુ રહેશે કે બંધ થશે 29 મી એ ફેંસલો

વોટ્સએપ એ સૌથી લોકપ્રિય એપ્સ બની ગઈ છે અને સ્માર્ટ ફોન ના યૂઝર્સો માટે આ એપ જીવનનો એક ભાગ બની ગયો છે. જોકે તાજેતર માં વોટ્સ એપ દ્વારા એન્ક્રીપશન લાગુ કરવામાં આવ્યું હતું, જેના કારણે યુઝર્સ ના મેસેજ, વિડીયો, ફોટો સહિત ની બાબતો ને સિકયોર રહી શકે છે.અને સુરક્ષા એજન્સીઓ પણ તેને ડિકોટ નથી કરી શકતી.જેનો લાભ આતંકવાદી ગતિવિધિ ઓ પણ થઈ શકે છે જેના પરિણામે તેઓ પોતાના મેસેજ નું આદાન પ્રદાન સહેલાઈ થી કરી સહકતા સુરક્ષા ઉપર પણ ગંભીર બની શકે છે.

આ સમગ્ર બાબતો ને ધ્યાન માં રાખીને RTI એક્ટિવિસ્ટ સુધીર યાદવે સુપ્રીમ કોર્ટ માં જનહિત ની અરજી દાખલ કરી હતી.જેની સુનાવણી તારીખ 29મી બુધવાર ના રોજ ચીફ જસ્ટીસ ની બેચ માં યોજાશે.હવે જોવું એ રહ્યું કે એપ બંધ થશે કે એન્ક્રીપશન બંધ કરી ને વોટ્સએપ ને રાબેતા મુજબ ચાલુ રહેશે તે તો સુનાવણી બાદજ જાણી શકાશે.

Latest Stories