જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફે એક મોટા આતંકી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. સાથે ત્રણ આતંકીઓને ઠાર મારવામાં પણ સફળતા મળી હતી. આ ત્રણ આતંકીઓ લશ્કરે તોયબા સાથે સંકળાયેલા હતા અને કાશ્મીરમાં ખાસ કરીને સૈન્ય પર મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા.
આતંકીઓ શ્રીનગરમાં છુપાયા હોવાની જાણકારી સૈન્યને મળી હતી, જે બાદ સૈન્યએ આતંકીઓને ઝડપી પાડવા માટે આ વિસ્તારમાં ઓપરેશન ચાલુ કર્યું હતું. દરમિયાન આતંકીઓને સૈન્યની હાજરીનો ખ્યાલ આવી જતા સામ સામે ગોળીબાર થયો હતો. આશરે ચાર કલાક સુધી બન્ને વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો. અંતે ત્રણ આતંકીઓને ઠાર મારવામાં સૈન્ય સફળ રહ્યું હતું. જોકે આ ઓપરેશનમાં ચાર જવાનો ઘવાયા હતા.