છેલ્લા 20 વર્ષથી સલમાન ખાન ઉપર રાજસ્થાનના જોધપુરમાં કાળિયારના શિકાર મામલે કેસ ચાલી રહ્યો છે જેનો આજે ચુકાદો આવવાનો છે.
આજે કોર્ટ સલમાન ખાન સહિત પાંચ બોલિવુડ સ્ટાર ઉપર ચુકાદો સંભળાવવાની છે. ફિલ્મ હમ સાથ સાથ હૈના શુંટીગ દરમિયાન સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યો હતો. આ સાથે જ તેમની સાથે હરાજર રહેલા સ્ટાર સેફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નિલમ ઉપર પણ સલમાન ખાનને કાળિયારના શિકાર માટે ઉકસાવવા બદલ કાર્યવાહી થઈ હતી. સલમાન ખાન ઉપર વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કલમ 51 અને તેમજ આઈપીસીની કલમ 149 હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે.