સાબરકાંઠા જિલ્લાના
તલોદ તાલુકાના આંતરોલી વાસના એક મકાનમાં આગ
લાગતા ઘર સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.
આંત્રોલી વાસ ખાતે અમૃતબા દિલીપસિંહ ઝાલા પોતાના ખેતરમાં મકાન બનાવી રહેતા હતા. પોતે મજુરી કરવા બીજાના ખેતરમાં કામગીરી કરવા ગયા હતા તે દરમ્યાન મકાનમાં અચાનક આગ લાગતા અનાજ, કપડાં, રોકડ રકમ, ઘરમાં પડેલ તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થઈ હતી. આંતરોલી ગામ પંચાયતના સરપંચ તેમજ તલાટી ઘટના સ્થળની મુલાકાત લઇ તાલુકા પંચાયત કચેરીને જાણ કરવામાં આવી હતી.