સુરત પાલનપુર પાટિયા વિસ્તારમાં એપાર્ટમેન્ટના બારીના ભાગનો સ્લેબ થયો ધરાશાયી

સુરત પાલનપુર પાટિયા વિસ્તારમાં એપાર્ટમેન્ટના બારીના ભાગનો સ્લેબ થયો ધરાશાયી
New Update

સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલા અમૃત એપાર્ટમેંન્ટ બારીનો છજ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ બનાવની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને એપાર્ટમેંન્ટ ખાલી કરાવ્યું હતું.

પાલનપુર પાટિયા નજીક વિસ વર્ષ જુના જર્જરિત સાઈ અમૃત એપાર્ટમેન્ટના ત્રીજા અને બીજા માળ સહિત છજજાનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો.જ્યાં સોસાયટી અને ફલેટધારકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો હતો. જો કે ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ બિલ્ડીંગ સંપૂર્ણપણે ખાલી કરાવી દીધી હતી.ત્યાં ફ્લેટમાં રહેતા લોકોને પણ ફાયરે રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢ્યા હતા.આ ઘટનાની જાણકારી સુરત મહાનગરપાલિકા અને ડીજીવીસીએલને થતા અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પાલિકા દ્વારા બિલ્ડીંગ ના લોકોને નોટિસ આપી બિલ્ડીંગ સંપૂર્ણ ખાલી કરાવી દેવામાં આવી હતી. જ્યારે ડિજીવીસીએલ દ્વારા પણ વીજ કેબલના વાયરોની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Here are a few more articles:
Read the Next Article