New Update
પંચમહાલ લોકસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લુંણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટીકીટ આપવામાં આવી , જે અનુસંધાને આજ રોજ તારીખ ૧/૪/૨૦૧૯ ના રોજના વિજય મુહુર્ત માં રતનસિંહ રાઠોડે ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાન શ્રીમાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા., તેમજ ભાર્ગવ ભાઈ ભટ્ટ, પ્રભાત સિંહ ચૌહાણ, પરાક્રમસિંહ જાડેજા , મંત્રી જયદ્રથ સિંહ પરમાર,તેમજ તમામ ભારતીય જનતા પાર્ટીના મહત્વના આગેવાનો સાથે રહી ભવ્ય રોડ શો યોજી પંચમહાલ જીલ્લાના કલેકટર ઉદિત અગ્રવાલને પોતાની ઉમેદવારીનું ફોર્મ ભરીને જમા કર્યું હતું,
આ ઉપરાંત ખુબ મોટી સંખ્યામાં પંચમહાલ ,મહીસાગર, અને ખેડા જીલ્લા ના કાર્યકર્તાઓએ રતનસિંહ રાઠોડને જંગી બહુમતી થી વિજયી થવા સુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ રતનસિંહે તમામને ખાતરી આપી હતી કે તેઓ ૩૦૦,૦૦૦(૩ લાખ) થી વધુની લીડ થી વિજય થશે.
Latest Stories