અંકલેશ્વર: ૫૦૦ કવાટર્સમાંથી ૮ જુગારીને ઝડપી રૂપિયા.૧૩.૭૭ લાખથી વધુનો મુદ્દા,આલ કબ્જે કરતી ભરૂચ LCB

New Update
અંકલેશ્વર: ૫૦૦ કવાટર્સમાંથી ૮ જુગારીને ઝડપી રૂપિયા.૧૩.૭૭ લાખથી વધુનો મુદ્દા,આલ કબ્જે કરતી ભરૂચ LCB

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ૫૦૦ ક્વાટર્સમાંથી ચાલતા જુગારધામ પર દરોડો પાડી ૮ ખેલીઓને રૂપિયા ૧૩.૭૭ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જી.આઈ.ડી.સીમા આવેલ ૫૦૦ ક્વાટર્સ સ્થિત આર.સી.એલના મકાન નંબર-૪૮માં મોટાપાયે જુગાર રમાઈ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા રમેશભાઈ મણીલાલભાઈ પટેલ,સુનીલ ગુલાબસિંગ ચૌહાણ, જયદીપસિહ દિલીપસિંહ યાદવ,ભરતભાઈ બળવંતભાઈ યાદવ સહીત આઠ જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી રૂપિયા ૬૮ હજાર ૭૫૦ રોકડ અને ૧૧ ફોન તેમજ ૬ વાહનો મળી કુલ ૧૩.૭૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ઝડપાયેલા તમામ જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી

Latest Stories