અક્ષયકુમારે શહીદોના પરિવારને આપ્યા કુલ 1.08 કરોડ રૂપિયા 

New Update
અક્ષયકુમારે શહીદોના પરિવારને આપ્યા કુલ 1.08 કરોડ રૂપિયા 

છત્તિસગઢમાં નક્સલ પ્રભાવિત જિલ્લા સુકમામાં અગિયારમી માર્ચે માઓવાદીઓના હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના બાર જવાનોના પરિવારને મદદ કરવા અભિનેતા ખેલાડી અક્ષયકુમાર આગળ આવ્યો છે ,અક્ષયે આ બાર શહીદોના પરિવારને પ્રત્યેકને નવ લાખ રૂપિયાની આર્થિક સહાય પુરી પાડી છે.

કુલ 1.08 કરોડ રૂપિયા અક્ષયકુમાર આ બાર જવાનોના પરિવારને ચૂકવ્યા હોવાનો અહેવાલ છે. અગિયારમી માર્ચે પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણી બાદના પરિણામ એટલે કે મતગણતરી દરમિયાન જ સુકમામાં માઓવાદીઓએ હુમલો કર્યો હતો.

જેમાં બાર જવાનો શહીદ થયા હતા જયારે અન્ય ત્રણ જવાનોને ઇજા થઈ હતી.આ હુમલા બાદ દુ:ખી સીઆરએફના લગભગ ત્રણ લાખ જવાનોને આ વર્ષની હોળીની ઉજવણી નહોતી.

Latest Stories