New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/15092712/manish-sisodia-pti_650x400_51486836078.jpg)
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોના વાયરસથી સંક્રમિત થયા. આ વાતની જાણકારી તેમણે ટ્વિટ કરી આપી હતી. તેમણે કહ્યું કે, થોડો તાવ આવ્યા બાદ આજે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલ તે સેલ્ફ આઇસોલેશનમાં છે.
સિસોદિયાએ કહ્યું કે, હાલમાં તાવ કે અન્ય કોઇ પરેશાની નથી. હું પુરી રીતે સ્વસ્થ છું. તમારી દુઆઓથી જલદી સંપૂર્ણ સ્વસ્થ થઇને કામ પર પાછો ફરીશ.
તે સિવાય આમ આદમી પાર્ટીના ત્રણ ધારાસભ્યો ગિરિશ સોની, પ્રમીલા ટોકસ અને વિશેષ રવિ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. દિલ્હી વિધાનસભાના ત્રણ સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
Latest Stories