Connect Gujarat
સમાચાર

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ જાહેર

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ જાહેર
X

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલીના સુકાની પદ હેઠળ 15 સભ્યોની ટીમ આજે જાહેર કરવામાં આવી હતી.

વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગયેલી ટીમમાં સમાવેશ કરાયેલા ઝડપી બોલર શાર્દુલ ઠાકુર અને ઓલ રાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીને આ સીરિઝમાં ટીમમાં સમાવવામાં નથી આવ્યા.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ રમાશે. જેમાં પહેલી ટેસ્ટ 22 સપ્ટેમ્બરના દિવસે કાનપૂરમાં રમાશે. બીજી ટેસ્ટ કલકત્તા અને ત્રીજી ટેસ્ટ ઇન્દોરમાં રમાશે.

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ સીરિઝમાં રોહિત શર્માની પસંદગી અંગે અટકળો વહેતી થઇ હતી. જોકે, અંતે તેમની પસંદગી કરવામાં આવી હતી.

આ ટેસ્ટ મેચ સીરિઝ માટેની ભારતીય ટીમમાં વિરાટ કોહલી (કેપ્ટન), કે.એલ.રાહુલ, ચેતેશ્વર પુજારા, આજીંક્ય રહાણે, મુરલી વિજય, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર, શિખર ધવન અને ઉમેશ યાદવનો સમાવેશ થાય છે.

Next Story