![ભરૂચ તાલુકામાં આવેલ બે ગામોમાં બે બાઈકની ચોરી.](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/dsfdsf-1.jpg)
ભરૂચ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરો નો આતંક વધ્યો છે.શુક્લતીર્થ અને સિંધોત ગામેથી બાઇક ચોર ટોળકી દ્વારા બે બાઇકની ચોરી કરી જતાં નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ તાલુકામાં આવેલાં ગામ શુક્લતીર્થ અને સિંધોત ગામોમાં છેલ્લાં કેટલાંક દિવસોથી બાઇક ચોરીના બનાવો વધી રહ્યા છે. આ સંદર્ભે ભરૂચ તાલુકામાં આવેલાં સિંધોત ગામે રહેતાં પાર્થકુમાર રામસંગ પઢિયારની બાઇક ગઇકાલે રાત્રીના સમયે ચોરાઇ ગઈ હતી.પાર્થકુમાર રામસંગને વહેલી સવારે બાઇક ન મળતા પોલીસ ફરિયાદ નોધાવી હતી. તેજ રીતે શુક્લતીર્થ ગામે સિદ્ધી સોસાયટીમાં રહેતાં નિખીલ ચંદ્રકાન્ત કાછીયા પટેલની તેમના ઘર આંગણેથી બાઇક ચોરાય ગઈ હતી. તેમણે પણ નબીપુર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોધાવી હતી.
ગામમાં બાઇક ચોરીના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન નાઇટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરેલ છે.નબીપુર પોલીસ દ્વારા બાઇક ચોરી અંગે આ બંન્ને ફરિયાદીઓની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.