ભરૂચ : સુરતથી પાવાગઢ જતા પદયાત્રા સંઘનું કરાયું ભવ્ય સ્વાગત

New Update
ભરૂચ : સુરતથી પાવાગઢ જતા પદયાત્રા સંઘનું કરાયું ભવ્ય સ્વાગત

સુરતથી પાવાગઢ માં અંબાજીના ધામ જતા પદયાત્રા સંઘનું ભરૂચ શહેર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુરત શહેર સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાવાગઢ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહ સંઘ પગપાડા મહાકાળી માતાના ધામ પાવાગઢ ખાતે યાત્રા સ્વરૂપે જવા નીકળ્યો છે, ત્યારે ભરૂચ શહેરમાંથી પસાર થતા પગપાડા સંઘનું ભોલાવ વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ શહેર સમસ્ત વાલ્મિકી સમાજના પ્રમુખ કિરણ સોલંકી, મુક્તાનંદ સ્વામી, બી.કે.પટેલ

તેમજ અન્ય સામાજિક સંસ્થાના આગેવાનોએ માતાજીની 51 ફુટ લાંબી

ધજાને ફુલહાર કરી વંદન કર્યા હતા. ધાર્મિક આસ્થાનો લ્હાવો લેવા માટે તમામ સમાજના

ભાવિક ભક્તો મોટી સંંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories