![સોમનાથ : આગામી વાવાઝોડાને લઈ તંત્રને એલર્ટ કરવામા આવ્યુ : વિજય રૂપાણી](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-151.jpg)
રવિવારના રોજ પુર્વ મધ્ય અરબિ સમુદ્રમા લો પ્રેસર સિસ્ટમ એકટીવેટ થઈ છે. જે આજરોજ ડિપ્રેશન સિસ્ટમમા પરિવર્તિત થઈ છે. ત્યારે આગામી 24 કલાકમા ડિપ્રેશન સિસ્ટમ ડિપ ડિપ્રેશન સિસ્ટમમા પરિવર્તિત થશે. હાલ આ સીસ્ટમ ઉતર પશ્ચિમ તરફ આગળ વધતી રહેશે. જેના કારણે આવતીકાલથી વાતાવરણમા પલ્ટો આવશે. જેના કારણે આગામી 12 અને 13ના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠા વિસ્તારમા ભારેથી અતિભારે વરસાદ પડશે.
સૌરાષ્ટ્ર ક્ચ્છની વાત કરવામા આવે તો જામનગર, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, કચ્છ અને ભાવનગરના દરિયા કાંઠા વિસ્તારમા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના તમામ પોર્ટ પર 1 નંબરનુ સીગ્નલ લગાવી દેવામા આવ્યુ છે. તો સાથેજ માછીમારોને પુર્વ મધ્ય અરબી સમુદ્ર તરફ દરીયો ન ખેડવાની સુચના પણ આપવામા આવી છે.
ત્યારે આ તકે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે વાવાઝોડાને લઈને તંત્રને એલર્ટ કરી દેવામા આવ્યુ છે. તો સાથે જ માછીમારોને દરિયો ખેડવો નહી અને દરિયામા હોય તો સુરક્ષિત સ્થળોએ પહોંચવા સુચના આપી છે. ત્યારે તંત્રને વાવાઝોડાના પગલે કોઈ પણ જાતની જાનહાની ન થાય તે માટે સુચના આપવામા આવી છે.