અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર-48 પર નવજીવન હોટલ સામે અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત તરફ જવાના માર્ગ પર ઈકો ચાલકે એક રાહદારીને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ગંભીર ઈજાઓના કારણે રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઈકો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.અકસ્માત સર્જી ઇકો કાર ચાલક ફરાર થઇ ગયો હતો.