જાણો ગુજરાતની કઈ પોલીસ કેન્ટીનમાં શરૂ થયું e-payment

New Update
જાણો ગુજરાતની કઈ પોલીસ કેન્ટીનમાં શરૂ થયું e-payment

વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ મથકમા આવેલ ગુજરાત પોલીસ કેન્ટીનમા હવેથી e-payment ની સુવિધા શરૂ કરવામાં આવેલ છે.

તાજેતરમા ગુજરાત રાજ્યના ડીજીપીશ્રી પી પી પાંડેની વડોદરાની મુલાકાત વખતે તેઓએ વેલ્ફેર પ્રવૃત્તિઓના તમામ નાણાકીય વ્યવહારો કેશલેસ કરવા જણાવ્યું હતું.

img-20170103-wa0021

વડોદરા શહેરના પોલીસ કમિશનર મનોજ શશિધરની સૂચના મુજબ વડોદરા શહેરના નાયબ પોલીસ કમિશનર એન.એન.ચૌધરીના માર્ગદર્શન મુજબ પોલીસ હેડ ક્વાર્ટર RPI જે.એ.પઠાણ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ વેલ્ફેર સંચાલિત ગુજરાત પોલીસ કેન્ટીનમાં એસબીઆઈનું PoS ટર્મિનલ શરૂ કરવામાં આવેલ છે, જેમાં તમામ બેંકોના ડેબિટ કે ક્રેડિટ કાર્ડને સ્વાઈપ કરી બિલની ચુકવણી કરી શકાશે.

આ પોલીસ કેન્ટીનનો લાભ વડોદરા શહેરના પોલીસ પરિવારો ઉપરાંત, નિવૃત્ત પોલીસ કર્મચારીઓ અને તેમના આશ્રિત પેંશનર્સ, રાજ્ય અને કેન્દ્રના અર્ધલશ્કરી દળોના જવાનો પણ લઇ રહ્યા છે. જેમાં હિન્દુસ્તાન યુનિલિવર, ગોદરેજ, જ્હોન્શન એન્ડ જ્હોન્શન જેવી નામાંકિત કંપનીઓની બ્રાન્ડેડ ચીજ વસ્તુઓનું બજાર ભાવ થી 15%થી 40% જેટલા નીચા દરે વેચાણ થાય છે.

Read the Next Article

જૂનાગઢ : ગીર જંગલમાં વનરાજનું વેકેશન,15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે અભયારણ્ય બંધ

સિંહોના સવનન કાળમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે જંગલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. આ નિર્ણય વન્યજીવ સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

New Update
  • ગીર અભયારણ્યમાં વેકેશનનો સમય

  • 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ

  • સાવજોનો સંવનન કાળ થયો શરૂ

  • આ સમય દરમિયાન સિંહ દર્શન રહેશે બંધ

  • આ વર્ષે 8.50 લાખ પ્રવાસીઓએ કર્યા સિંહ દર્શન

ગુજરાતમાં એશિયાટિક સિંહોનું ઘર ગણાતા ગીર અભયારણ્યમાં હવે વનરાજાનું વેકેશન શરૂ થયું છે,જેના કારણે તારીખ 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી સિંહ દર્શન પ્રવાસીઓ માટે બંધ રખવામાં આવે છે.

ગીર અભયારણ્ય 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ સમયગાળો સિંહ પ્રજાતિનો સંવનન કાળ ગણાય છે. અને ચોમાસા દરમિયાન જંગલના કાચા રસ્તાઓની સ્થિતિ પણ બગડી જાય છે.ગીર જંગલ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. પ્રવાસીઓ બે સ્થળેથી સિંહ દર્શન કરી શકે છે.દેવળિયા સફારી પાર્ક વરસાદ ન હોય ત્યારે ચાલુ રાખવામાં આવે છે. 

તેમાં પ્રવાસીઓને જીપ્સીની સુવિધા પણ મળી રહે છે.2024-25ના વર્ષમાં અત્યાર સુધીમાં 8 લાખ 50 હજાર પ્રવાસીઓએ સિંહદર્શન કર્યું છે. પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.વે છે.સિંહોના સવનન કાળમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે જંગલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. આ નિર્ણય વન્યજીવ સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આ