1લી માર્ચથી 5 થી વધુ ટ્રાન્ઝેક્શન પર બેંક દ્વારા ચાર્જ વસુલાશે

New Update
1લી માર્ચથી 5 થી વધુ ટ્રાન્ઝેક્શન પર બેંક દ્વારા ચાર્જ વસુલાશે

નોટબંધી બાદ કેશલેસ ટ્રાન્ઝેક્શન વધ્યુ છે ત્યારે તેને હજુ વધુ પ્રોત્સાહન આપવા માટે બેન્કિંગ નિયમોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. બેન્કો દ્વારા પાંચથી વધુ ટ્રાન્ઝેક્શન પર રૂ150 સર્વિસ ચાર્જ વસુલવામાં આવશે.

દેશની ખાનગી બેન્કોએ તો આ અંગેની તૈયારી પણ શરુ કરી દીધી છે. જે મુજબ ICICI, AXIS, અને HDFC બેન્કોએ આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં નોટબંધી પહેલા જે ATM માંથી રૂપિયા કાઢવાના પાંચ ટ્રાન્ઝેક્શન બાદ જે રૂપિયા 20નો ચાર્જ લાગતો હતો તેનો અમલ પણ પુનઃ શરુ કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Latest Stories