અંકલેશ્વરના સારંગપુર ગામ પાસેથી પસાર થઇ રહેલા બાઈક ચાલક યુવાનને મારૂતીવાન ના ચાલકે અડફેટે લેતા તેઓનું કરુણ મોત નિપજ્યું હતુ.

અંકલેશ્વર સિલ્વર સીટી, મીરા નગર ખાતે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની સંતોષ ઉદયભાઈ પાલનાઓ તેઓની પેશન બાઈક લઈને સારંગપુર ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા.તે દરમ્યાન એક મારુતિ વાનના ચાલકે તેઓની બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.

unnamed (1)

સર્જાયેલા અકસ્માતમાં સંતોષ પાલને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ સંતોષ પાલનું કરુણ મોત નિપજ્યું હતુ.બનાવ સંદર્ભે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.