Connect Gujarat
દેશ

એરફોર્સના પ્રમુખે ઓપરેશન માટે તૈયાર રહેવા ઓફિસરોને લખ્યો પત્ર

એરફોર્સના પ્રમુખે ઓપરેશન માટે  તૈયાર રહેવા ઓફિસરોને લખ્યો પત્ર
X

એર ઈન્ડિયાના ચીફ માર્શલ બી.એસ. ધનોવાએ ઈન્ડિયન એરફોર્સના 12000 ઓફિસરને પત્ર લખીને કહ્યું તમામ ઓફિસરો ઓછા સમયમાં મોટી કાર્યવાહી કરવા માટે તૈયાર રહેવા જણાવ્યુ છે.આ પત્ર પર 30 માર્ચની સહી હતી.

જાણવા મળ્યા મુજબ બી. એસ. ધનોવાએ પત્રમાં હાલની પરિસ્થિતની જે વાત કહી છે તે પાકિસ્તાન દ્વારા છુપાઈને કરાઈ રહેલા હુમલા માટે કરી છે. પરંતુ પહેલીવાર એરફોર્સના ઈતિહાસમાં આવુ બન્યુ છે કે, કોઈ ચીફે પોતાના ઓફિસરો સાથે આવો પત્ર વ્યવહાર કર્યો હોય.પત્રમાં તમામ ઓફિસરોને સલાહ આપવામાં આવી છે કે, તે લોકો હંમેશા તૈયાર રહે. શોર્ટ નોટિસ પર તેમને બોલાવી શકાય છે. પત્રમાં એમ પણ ઉલ્લેખ કરાયો છે કે, એરફોર્સે છેલ્લા કેટલાક સમયથી ખાસ પ્રદર્શન નથી કર્યું. પત્રમાં એરફોર્સના ઓછા સંસાધનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એરફોર્સ ફાઈટર પ્લેનના 42 સ્કોવર્ડન પોતાની પાસે રાખી શકે છે, પરંતુ હાલ તેમની પાસે કુલ 33 સ્કોવર્ડન જ છે.

Next Story