Connect Gujarat
ગુજરાત

ભરૂચ દયાદરાનાં યુવાનની હત્યાનું જાણો શું હતુ કારણ

ભરૂચ દયાદરાનાં યુવાનની હત્યાનું જાણો શું હતુ કારણ
X

ભરૂચ તાલુકાનાં દયાદરા ગામના યુવાનની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. મહિલા સાથેના આડાસંબંધમાં તેણીના પતિ અને અન્ય મિત્રએ મળીને જાકીરની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

ભરૂચના દયાદરા થી અળગામા વચ્ચેના માર્ગ પાસેની અવાવરું જગ્યા માંથી તારીખ 18મી મે 2017ના રોજ જાકીર નામના યુવાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, જે અંગે ભરૂચ તાલુકા પોલીસે ફરિયાદ દર્જ કરીને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

પોલીસ તપાસમાં જાકીર જે ત્રણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો તે ફોન ગાયબ હોવાનું માલુમ પડયુ હતુ, તેથી પોલીસની તપાસનું પ્રથમ ચરણ અહિયાંથી જ શરૂ થયુ હતુ, અને પોલીસે ફોન ટ્રેસ કરીને શકમંદ તરીકે શખ્સોની અટકાયત કરીને સઘન પુછપરછ કરી હતી. જેમાં જાકીરની હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસની તપાસ દરમિયાન જાકીરના ગીતા નામની પરિણીત મહિલા સાથે આડસંબંધ હોવાના કારણે તેણીના પતિ સહદેવ અને અન્ય રિક્ષા ચાલક મિત્રએ જાકીરનું કાસળ કાઢી નાખવા માટે આયોજન કર્યું હતુ. અને પ્લાનિંગ મુજબ જાકીરને દયાદરા થી અળગામા તરફ જવાના માર્ગ વચ્ચેની અવાવરું જગ્યા પર બોલાવીને જાકીરને લોખંડનો સળીયો તેમજ કુહાડીના ઘા મારીને જાકીરનું ઢીમઢાળી દીધું હતુ.

પોલીસે ઘટનામાં આરોપી ગીતા તેમનો પતિ સહદેવ અને રિક્ષા ચાલક ધર્મેન્દ્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.

Next Story