21 જૂનથી રસીકરણની નવી નીતિ, જાણો - કયા આધાર પર રાજ્યોને કેન્દ્ર તરફથી રસી આપવામાં આવશે

New Update
21 જૂનથી રસીકરણની નવી નીતિ, જાણો - કયા આધાર પર રાજ્યોને કેન્દ્ર તરફથી રસી આપવામાં આવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની COVID-19 રસીકરણ નીતિઓમાં ફેરફારની ઘોષણા કર્યાના કલાકો પછી, ભારત સરકારે 21 જૂનથી લાગુ થનારા રાષ્ટ્રીય COVID રસીકરણ કાર્યક્રમ માટેની સુધારેલી માર્ગદર્શિકા જારી કરી છે. આ દિશાનિર્દેશોમાં જણાવાયું છે કે “રસીની માત્રા વસ્તી, રોગના ભાર અને રસીકરણની પ્રગતિના આધારે રાજ્યો/કેન્દ્રશાસિત કેન્દ્રોને ફાળવવામાં આવશે.

રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમને લઈને સરકાર તરફથી જારી નવી ગાઇડલાઇન અનુસાર કેન્દ્ર સરકાર વેક્સિન નિર્માતા કંપનીઓ પાસેથી 75 ટકા વેક્સિન ખરીદી કરી રાજ્યોને ફ્રી આપશે. કેન્દ્ર પાસેથી મળેલી વેક્સિન રાજ્ય સરકારો હેલ્થવર્કર, ફ્રંટલાઇન વર્કર્સ, 45થી વધુ ઉંમરના અને 18-44 વર્ષના લોકોને સરકારી સેન્ટર પર ફ્રી વેક્સિન આપશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર, ક્યા ગ્રુપને રસીકરણમાં પ્રાથમિકતા આપવાની છે તે રાજ્ય સરકાર નક્કી કરશે. રાજ્યોને કેટલાક વેક્સિનના ડોઝ મળશે તે રાજ્યની વસ્તી, કોરોના કેસ અને વેક્સિનની બરબાદી પર નક્કી થશે.

ગાઇડલાઇન અનુસાર ખાનગી હોસ્પિટલ વેક્સિનના એક ડોઝની કિંમતથી વધુમાં વધુ 150 રૂપિયા સર્વિસ ચાર્જ લઈ શકે છે. એટલે કે ખાનગી હોસ્પિટલોમાં કોવિશીલ્ડના એક ડોઝની વધુમાં વધુ કિંમત 750 રૂપિયા હશે, જ્યારે કોવૈક્સીન માટે વધુમાં વધુ કિંમત 1350 રૂપિયા હોઈ શકે છે.

સરકારી અને ખાનગી વેક્સિનેશન સેન્ટર લોકોની સુવિધા માટે તેને ઓનસાઇટ રજીસ્ટ્રેશનની પણ સુવિધા આપી શકશે. આ નવી ગાઇડલાઇન 21 જૂનથી લાગૂ થશે અને સરકાર તેની સમયે-સમયે સમીક્ષા કરતી રહેશે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories