ACBનો સપાટો : સરકારી કર્મચારીઓ પાસેથી મળી આવી કરોડો રૂપિયાની અપ્રમાણિક મિલકતો, 4 લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ

New Update
ACBનો સપાટો : સરકારી કર્મચારીઓ પાસેથી મળી આવી કરોડો રૂપિયાની અપ્રમાણિક મિલકતો, 4 લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ

સરકારી કર્મચારીઓની અપ્રમાણિક મિલકતો બાબતે એન્ટી કરપ્શન બ્યુરોએ સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. જેમાં ACB દ્વારા અમરેલી અને ભાવનગરમાં અપ્રમાણસર મિલકતના 4 ગુન્હા દાખલ કરી સરકારી કર્મચારીઓની કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત શોધી કાઢવામાં ACBને સફળતા મળી છે.

અપ્રમાણિત મિલકતો બાબતે ACBના અધિકારીઓને મળેલી બાતમીના આધારે, છેલ્લા 2 મહિના સતત તપાસ કર્યા બાદ એન્ટી કરપ્શન બ્યુરોએ અમરેલી અને ભાવનગરમાં મળીને કુલ 4 સરકારી કર્મચારીઓની કરોડો રૂપિયાની અપ્રમાણિત મિલકત શોધી કાઢી છે. જેમાં અમરેલીમાં અપ્રમાણિત મિલકતના કુણ 3 કેસ કરવામાં આવ્યા છે. જ્યારે ભાવનગરમાં સરકારી કર્મચારી પાસે પ્રમાણિક મિલકતનો 1 કેસ નોંધવામાં આવ્યો છે. અમરેલીની વાત કરવામાં આવે તો, અમરેલી જિલ્લામાં માથાભારે શખ્સ રાજુ શેખવાના 2 પિતરાઇ ભાઇઓ, સરકારી શિક્ષક ભાભલુ કરું, ગુન્હામાં સંડોવાયેલા અને સરકારી કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કિશોર શેખવા અને અમરેલી જિલ્લામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રોહિત શેખવા પાસેથી પણ કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે.

અત્રે નોંધનીય છે કે, અમરેલી સહિત ભાવનગરમાં પણ એન્ટી કરપ્શન બ્યુરોએ સપાટો બોલાવ્યો હતો. ભાવનગરમાં ફિલ્ડ આસિસ્ટન્ટ શીબા વળિયા પણ અપ્રમાણસર મિલકતના કેસમાં આરોપી તરીકે ઝડપાયા છે. શીબા વળિયા પાસેથી કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત હોવાની માહિતી મળતા એન્ટી કરપ્શન બ્યુરોએ તમામ પુરાવા એકત્રિત કરી ભાવનગરના ફીલ્ડ આસીસ્ટન્ટ ઉપર ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓ પાસે અપ્રમાણિત મિલકતોની મળી રહેલી ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્યુરો સક્રિય થઇ છે. જેમાં વર્ષ 2020માં ACB દ્વારા કુલ 16 કેસ કરવામાં આવ્યા છે. જોકે તપાસ દરમ્યાન એન્ટી કરપશન બ્યુરોએ રૂપિયા 22 કરોડ 86 લાખની અપ્રમાણિત મિલકતો શોધી કાઢી હતી. ACB દ્વારા શરૂ કરવામાં આવેલ અપ્રમાણિત મિલકતોના કેસથી સરકારી કર્મચારી અને મળતીયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. એટલું જ નહીં, ACBના અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાનમાં તમામ ભ્રષ્ટ સરકારી કર્મચારીઓને ગર્ભિત કરી ચેતવણી આપવામાં આવી છે.

Read the Next Article

ચારધામ યાત્રા ફરી એકવાર કુદરતના પ્રકોપની ઝપેટમાં, કાટમાળ અને પથ્થર પડતાં કેદારનાથ જતો પગપાળા માર્ગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો

ઉત્તરાખંડની પ્રખ્યાત ચારધામ યાત્રા ફરી એકવાર કુદરતના પ્રકોપની ઝપેટમાં આવી ગઈ છે. 14 જૂને મોડી રાત્રે શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે કેદારનાથ

author-image
By Connect Gujarat Desk
New Update
kedarnath aa

ઉત્તરાખંડની પ્રખ્યાત ચારધામ યાત્રા ફરી એકવાર કુદરતના પ્રકોપની ઝપેટમાં આવી ગઈ છે. 14 જૂને મોડી રાત્રે શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે કેદારનાથ ધામ યાત્રા પર ખરાબ અસર પડી છે. જંગલચટ્ટી નજીક એક નાની નદીમાં અચાનક ઉછાળાને કારણે ભારે કાટમાળ અને પથ્થર પડતાં કેદારનાથ જતો પગપાળા માર્ગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.

રુદ્રપ્રયાગ પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, જંગલચટ્ટી વિસ્તારમાં ગધેરા (નાની નદી) વધવાને કારણે ફૂટપાથ પર મોટી માત્રામાં કાટમાળ અને ખડકો પડી ગયા છે. રુદ્રપ્રયાગ પોલીસે જણાવ્યું હતું કે, "જંગલચટ્ટી નજીક કોતરમાં કાટમાળ અને પથ્થરો પડતાં કેદારનાથ ધામ તરફ જતો રસ્તો ક્ષતિગ્રસ્ત થયો છે. આ કારણે, સોનપ્રયાગથી કેદારનાથ ધામ તરફ જતો રસ્તો આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવ્યો છે." પોલીસે એ પણ ખાતરી આપી છે કે રસ્તો ક્ષતિગ્રસ્ત થયા પહેલા કેદારનાથ ધામ જવા રવાના થયેલા ભક્તોની અસરકારક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.રુદ્રપ્રયાગ પોલીસે આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે અને શ્રદ્ધાળુઓને જ્યાં છે ત્યાં સલામત રહેવાની અપીલ કરી છે અને નજીકની હોટલ, ધર્મશાળાઓ અથવા સલામત સ્થળોએ રહેવાની સલાહ આપી છે. પોલીસે એ પણ માહિતી આપી છે કે જે શ્રદ્ધાળુઓ પહેલાથી જ આ માર્ગ પર મુસાફરી કરી રહ્યા હતા તેમની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ની ટીમો તેમને પાછા લાવવા અથવા સલામત સ્થળોએ લઈ જવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. પોલીસે લોકોને સોનપ્રયાગથી કેદારનાથ ધામ સુધીની યાત્રા આગામી આદેશ સુધી સ્થગિત કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે ક્ષતિગ્રસ્ત રસ્તો હોવા છતાં, પહેલાથી જ મુસાફરી કરી રહેલા યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.