અભિનેત્રી કંગના રનૌતએ ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેકતા કહ્યું કે,આજે મારુ ઘર તૂટયું છે કાલે તારો ઘમંડ તૂટશે

New Update
અભિનેત્રી કંગના રનૌતએ ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેકતા કહ્યું કે,આજે મારુ ઘર તૂટયું છે કાલે તારો ઘમંડ તૂટશે

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ બી.એમ.સી એ કરેલી કાર્યવાહી બાદ મામલો વધુ ગરમાયો છે. શિવસેનાની ધમકી વચ્ચે  કંગના મુંબઇ પહોંચી છે. અને તેના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે . કંગના રનૌતનો ઉદ્ધવ સરકારને ખુલ્લો પડકાર ફેક્યો છે.

અભિનેત્રીએ  આ વીડિયોમાં કહી રહી છે કે, ઉદ્ધવ ઠાકરે તને શું લાગે છે કે તે ફિલ્મ માફિયાઓ સાથે મળીને મારું ઘર તોડીને મોટો બદલો લઇ લીધો? આજ મારું ઘર તૂટ્યું છે કાલે તારો ઘમંડ તૂટશે. આ સમયનું ચક્ર છે, યાદ રાખજે દરેક વખતે એક સરખું નથી હોતું.

અભિનેત્રીએ કહે છે કે  મને લાગે છે કે તે મારા પર મોટો ઉપકાર કર્યો છે. કેમ કે મને ખબર હતી કે કાશ્મીરી પંડિતો પર શું વીતી હશે. આજે મને સમજાયું છે અને આજે હું આ દેશને વચન આપું છું હું ફક્ત અયોધ્યા પર જ નહીં, પણ કાશ્મીર પર પણ ફિલ્મ બનાવીશ. અને હું મારા દેશવાસીઓને જગાડીશ. "

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.