અમદાવાદ : રિક્ષામાં પેસેંજર બેસાડી કરતાં હતા સોનાની લૂંટ, 4 ઇસમોની ગેંગ ઝબ્બે

New Update
અમદાવાદ : રિક્ષામાં પેસેંજર બેસાડી કરતાં હતા સોનાની લૂંટ, 4 ઇસમોની ગેંગ ઝબ્બે

અમદાવાદમાં રીક્ષાઓમા પસેન્જર બેસાડી તેમની નજર ચૂકવી સોનાની ચોરી કરતી એક ગેંગના 4 સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ગેંગે અત્યરસુધીમાં અનેક લૂંટ ના ગુન્હાને અંજામ આપ્યા છે. પોલીસે ચારેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


રાજકોટમાં રહેતા હિતેષભાઇ નામક એક વ્યકતિએ શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ અમદાવાદમાં એક વેપારી પાસેથી 30 લાખનું સોનુ લઇ રાજકોટ પરત ફરતા હતા ત્યારે નહેરુનગર પાસેથી એક શટલ રિક્ષામાં બેસી ઇસ્કોન ઉતર્યા હતા પણ રસ્તામાં અંદર રીક્ષા બેથેલ આરોપીએ નજર ચુકવી સોનાની લૂંટ કરી હતી. આ ફરિયાદ મળતા સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી 4 લોકોની ધરપકડ કરી હતી. આ 4 લૂંટારુઓ અમદાવાદના રહેવાસી છે પોલીસે તેમની પાસેથી 21 તોલા સોનુ પણ રિકવર કર્યું છે.



અમદાવાદ પોલીસના કેહવા મુજબ આ ગેંગના સભ્યો આંગડિયા પેઢી અથવા મોટા સોના ચાંદીના શો રૂમ પાસે રેકી કરતા ત્યારબાદ જે વ્યકતિ રિક્ષામાં બેસવા આવે તે પહેલા ગેંગના બીજા સભ્યો પહેલે થી શટલ રિક્ષામાં પેસેન્જર તરીકે ગોઠવાઈ જતા અને ત્યારબાદ ચાલુ રિક્ષાએ વાતચીત કરી બાકીના સભ્યો નજર ચૂકવી સોનાની લૂંટ કરતા હતા. અને ત્યારબાદ જેતે વ્યકતિને ઉતારી ફરાર થઇ જતા હતા. પોલીસના કેહવા મુજબ અનેક લોકોને આ ગેંગે શિકાર બનાવ્યા છે અને લૂંટ ચોરીના પૈસા મોજશોખ અને બહાર ફરવામાં વાપરતા હતા. અમદાવાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નજીક NH-48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું.

New Update
Screenshot_2025-07-22-18-04-10-75_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર નજીક NH-48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું.

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. આજે વડોદરા તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.
હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. વાહનચાલકોને 2 થી 3 કલાક સુધી જામમાં ફસાવું પડ્યું હતું. રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહનચાલકો ત્રાસી ઉઠ્યા છે. હાઈવેના માર્ગનું જલ્દીથી સમારકામ કરવામાં આવે અને આમલાખાડી બ્રિજને વિસ્તૃત કરીને ટ્રાફિકજામની સમસ્યામાંથી રાહત અપાવવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યે છે.