અમદાવાદ: શહેરના રાજમાર્ગો પર પુન: દોડતી થશે AMTS-BRTSની બસ, જુઓ ક્યારથી મળશે લાભઅન

New Update
અમદાવાદ: શહેરના રાજમાર્ગો પર પુન: દોડતી  થશે AMTS-BRTSની બસ, જુઓ ક્યારથી મળશે લાભઅન

અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર સાંપડી રહ્યા છે. અમદાવાદના શહેરીજનો માટે AMTS-BRTS બસ સેવા તારીખ 28 મેથી પુન: શરૂ કરવામાં આવશે.

ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. અચાનક જ વાયરસના કેસમાં આવેલા ઉછાળાના કારણે ઘણા બધા કડક નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં જાહેર બસ સેવા બંધ કરવા જેવા નિર્ણયો સામેલ છે.

અમદાવાદના શહેરીજનો માટે AMTS-BRTS બસ સેવા પરિવહન માટેનું મોટું સાધન છે અને દરરોજ હજારો લોકો તેનો લાભ લેતા હતા. ત્યારે આ સેવા બંધ કરવામાં આવી હતી પણ હવે રાહતના સમાચાર આવી રહયા છે કે 28 મેથી ફરી શરૂ થશે AMTS-BRTS બસ સેવા. કોરોનાકાળમાં ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. એવામાં સરકાર દ્વારા આંશિક લૉકડાઉન સાથે છૂટછાટ આપવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે.28મી મેથી ફરીથી અમદાવાદમાં બસો દોડતી થઈ જશે.

લગભગ બે મહિના બાદ અમદાવાદના રસ્તા પર ફરીથી AMTS-BRTS બસો દોડતી જોવા મળશે રાજ્યમાં સરકાર દ્વારા થોડી ઘણી છૂટ આપતા હવે AMC દ્વારા પણ બસો શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે કોરોના વાયરસના કેસ ભલે ઓછા થયા હોય પરંતુ કોરોના હજુ ગયો નથી. તેથી જાહેર બસોમાં કોરોના વાયરસની ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે. બસમાં એક સાથે વધુમાં વધુ 50% મુસાફરો મુસાફરી કરી શકશે તથા માસ્ક વિનાના વ્યક્તિઓને બસમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. દિવસમાં બે વખત બસને સેનેટાઈઝ પણ કરવામાં આવશે. આમ શહેરના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને ફાયદો થશે.