અમદાવાદ : કોરોનાનું ઘટી રહેલું સંક્રમણ, 24 કલાકમાં 177 નવા કેસ નોંધાયાં

New Update
અમદાવાદ :  કોરોનાનું ઘટી રહેલું સંક્રમણ, 24 કલાકમાં 177 નવા કેસ નોંધાયાં

અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાએ ઉથલો માર્યા બાદ હવે કેસ ઘટવા લાગ્યા છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 177 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીના મોત થયા છે. જ્યારે કુલ 181 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે કોરોનાના કેસ ઘટવા પાછળનું કારણ છે એએમસીની રણનીતિ એએમસીએ શહેરના અલગ અલગ રસ્તાઓ અને મોટી સોસાયટીઓની બહાર કોરોના ટેસ્ટ માટેના ટેન્ટની વ્યવસ્થા કરી છે આ ટેન્ટ માં છેલ્લા એક મહિનામાં 75 હજાર કોરોના ટેસ્ટ થયા અને તેમાંથી 600 લોકો પોઝિટિવ આવ્યાં છે. 

એક સમયે અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર હતું પણ એએમસી એ અનેક પગલાઓ લઇ કોરોનાની સ્થિતિને કાબુમાં લીધી પણ હવે શહેરમાં કેસો ઘટવા લાગ્યા છે શહેરમાં અલગ અલગ 100 થી વધુ વિના મુલ્યે કોરોના ટેસ્ટના ટેન્ટમાં લોકો પોહચી રહયા છે અને ટેસ્ટ કરાવી રહયા છે। ..આ ટેન્ટથી ફાયદો તે થયો કે જે લોકો પૈસા નોહતા ખર્ચી શકતા કે દૂર સુધી ટેસ્ટ કરવા નોહતા પોહચી શકતા તેમને ઘર આંગણે ટેસ્ટ થયો જેને કારણે આ ટેસ્ટ ટેન્ટને બોહળો પ્રતિસાદ મળ્યો છે. 

Read the Next Article

PM મોદી આજથી બ્રિટનની મુલાકાતે, કિંગ ચાર્લ્સ અને વડાપ્રધાન સાથે કરશે મુલાકાત

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી એટલે કે 23 થી 24 જુલાઈ દરમિયાન વડાપ્રધાન યુકેની મુલાકાતે છે.

New Update
PM Modi Poland Visit

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી એટલે કે 23 થી 24 જુલાઈ દરમિયાન વડાપ્રધાન યુકેની મુલાકાતે છે.

આ તેમની ચોથી મુલાકાત હશે. અને મુલાકાતમાં મુક્ત વેપાર કરાર (free trade)(FTA) ને ફાઈનલ સ્વરૂપ આપવામાં આવશે તો સાથે જ ઘણા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે જેમાં ખાલિસ્તાન જેવા મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.

વિક્રમ મિશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી તેમની બ્રિટનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કીર સ્ટારમર સાથે ચર્ચા કરશે તો સાથે તેઓ કિંગ ચાર્લ્સ (Third) ને પણ મળશે. આ ઉપરાંત ભારત અને બ્રિટન બંનેના વેપાર લક્ષી આગેવાનો સાથે પણ મુલાકાત કરીને ચર્ચા વિચારણા કરશે. બંને દેશો વ્યાપક રણનૈતિક ભાગીદારીની પ્રગતિ પર પણ ચર્ચા કરશે અને વેપાર, અર્થતંત્ર, ટેકનોલોજી, આવિષ્કાર, સુરક્ષા, જળવાયુ પરિવર્તન,હેલ્થ અને એજ્યુકેશન વગેરે મુદ્દે ચર્ચા કરશે. વડાપ્રધાન પદ સંભાળ્યા પછી નરેન્દ્ર મોદીની આ બ્રિટનની ચોથી મુલાકાત હશે.