Connect Gujarat
Featured

અમદાવાદ : ઘાટલોડીયાના ધારાસભ્યની સેવાભાવના, પાંચ બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવશે

અમદાવાદ : ઘાટલોડીયાના ધારાસભ્યની સેવાભાવના, પાંચ બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવશે
X

કોરોનામાં મોભી ગુમાવનારા પરિવારના બાળકો ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા હશે તો તેમને હવે ધારાસભ્ય મદદ કરશે. ઘાટલોડીયાના ભાજપના ધારાસભ્ય એવા ભુપેન્દ્ર પટેલ આવા પાંચ બાળકોના ભણતરનો ખર્ચ ઉઠાવશે.

કોરોનાકાળમાં અનેક પરિવારોમાં માળા વિખાઇ ગયા છે. પરિવારના મોભીનું મૃત્યુ થતા પરિવારજનો નિરાધાર બન્યા છે અને આર્થિક સ્થિતિ પણ કફોડી બની છે. આર્થિક રીતે નબળા અને કોરોના પગલે પરિવારના મોભી ગુમાવનાર પરિવારના સભ્યો સહાય માટે ભાજપના ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ આગળ આવ્યા છે.

કોરોના કારણે પરિવારનો મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય અને પરિવારમા આર્થિક સ્થિતિ નબળી હોય તેવા પરિવારના સભ્યો માટે આખુ વર્ષ ચાલી રહે તેટલા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે જે પરિવારે પોતાનો મોભી ગુમાવ્યો હોય તેવા પાંચ બાળકો જ્યા સુધી ભણવા માંગતા હોય ત્યા સુધી તેઓ ફી ભરશે.

Next Story