અમદાવાદ : મણીનગરમાં BRTSના સ્ટેન્ડ પાસે વૃક્ષ ધરાશાયી, કાંકરીયાની વૃધ્ધાનું મોત

New Update
અમદાવાદ : મણીનગરમાં BRTSના સ્ટેન્ડ પાસે વૃક્ષ ધરાશાયી, કાંકરીયાની વૃધ્ધાનું મોત

અમદાવાદના મણીનગર વિસ્તારમાં શાકભાજી લેવા માટે આવેલી વૃધ્ધાને રસ્તામાં મોત મળી ગયું હતું. મણીનગર બીઆરટીએસ સ્ટેન્ડ પાસે લીમડાનું વિશાળ વૃક્ષ ધરાશાયી થઇ વૃધ્ધા પર પડયું હતું.

સામાન્ય રીતે ચોમાસામાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બનતાં હોય છે પણ અમદાવાદના મણીનગર વિસ્તારમાં ઉનાળામાં વૃક્ષ તુટી પડવાની ઘટના બની છે જેમાં એક વૃધ્ધાને જીવ ગુમાવવો પડયો છે. અમદાવાદના મણિનગર BRTS બસ સ્ટેન્ડ સામે આઈ શ્રી ખોડિયાર મંદિર સકુંલને અડીને લીમડાનું મોટું વૃક્ષ આવેલું છે. આ વૃક્ષ 100 વર્ષ કરતાં પણ વધારે જુનુ હોવાનું માનવામાં આવે છે. આ વૃક્ષ અચાનક ધરાશાયી થઇ આસપાસની શાકભાજી અને નાસ્તાની લારીઓ ઉપર પડયું હતું.

લીમડાના વૃક્ષ નીચે એક વૃધ્ધા દબાઇ હતી. મંદિરમાં આરતીનું સમાપન થયા બાદ વૃક્ષ ધરાશાયી તુટવાની ઘટના બનતાં મોટી હોનારત થતાં અટકી હતી. ફાયરબ્રિગેડના લાશ્કરોએ દોડી આવી વૃધ્ધાને બહાર કાઢી હતી. મૃતકની ઓળખ કાંકરીયાની ચંદ્રપ્રકાશ સોસાયટી વિભાગ -2માં રહેતાં રેણુકા મહેતા તરીકે થઇ હતી. ચા ની કીટલી ધરાવતા આધેડ મોતીસિહ રાજપુતે બુમરાણ મચાવતાં અનેક લોકો ભાગવામાં સફળ રહયાં હતાં અને તેમનો જીવ બચી ગયો હતો. વૃક્ષ તુટી પડવાના કારણે કલાકો સુધી ટ્રાફિકજામ થઇ ગયો હતો.

Read the Next Article

'હવનમાં હાડકાં નાખવાનું બંધ કરો, નહીંતર તમે ગાયબ થઈ જશો', અમિત શાહે ઉત્તરાખંડ રોકાણ મહોત્સવમાં કોંગ્રેસને ચેતવણી આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના રુદ્રપુરમાં આયોજિત 'ઉત્તરાખંડ રોકાણ મહોત્સવ'માં ભાગ લેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં

New Update
df

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના રુદ્રપુરમાં આયોજિત 'ઉત્તરાખંડ રોકાણ મહોત્સવ'માં ભાગ લેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં રાજ્યના વિકાસ કાર્યોની પ્રશંસા કરી.

તેમણે કહ્યું કે જે લોકો એક સમયે કહેતા હતા કે નાના રાજ્યોનું ભવિષ્ય ઉજ્જવળ નહીં હોય, આજે એ જ ઉત્તરાખંડ વિકાસના શિખર પર પહોંચી રહ્યું છે. શાહે કહ્યું કે ઓલ વેધર રોડ પ્રોજેક્ટને મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં પણ બચાવી લીધો હતો અને હવે તે લગભગ પૂર્ણ થઈ ગયો છે, જેથી ચારધામ યાત્રા આખું વર્ષ ચાલુ રહી શકશે.

કોંગ્રેસ પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું, 'જ્યારે ઉત્તરાખંડના લોકો રાજ્યની માંગણી માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસે આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કર્યો. ઉત્તરાખંડ ભાજપ અને વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા બનાવવામાં આવ્યું હતું.' તેમણે કોંગ્રેસના નેતાઓને ચેતવણી આપી- 'જ્યારે રાજ્યને ફાયદો થઈ રહ્યો હોય, ત્યારે હવનમાં હાડકાં નાખવાનું બંધ કરો, નહીંતર તમારામાંથી જે કંઈ બચ્યું છે તે પણ ગાયબ થઈ જશે.'

અમિત શાહે કહ્યું કે જ્યારે કેટલાક કાર્યકરો ઓલ વેધર રોડ પ્રોજેક્ટને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે મોદી સરકારે પોતાના વકીલોને સુપ્રીમ કોર્ટમાં મોકલીને આ પ્રોજેક્ટને રોકવા દીધો નહીં. પરિણામે, આ રોડ પ્રોજેક્ટ હવે સફળતાપૂર્વક ચારધામ પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે કાર્યરત થશે. આનાથી પ્રવાસીઓ આખું વર્ષ ઉત્તરાખંડ આવી શકશે.

શાહે ઉત્તરાખંડના આધ્યાત્મિક મહત્વનો ઉલ્લેખ કર્યો અને કહ્યું - 'આ તે ભૂમિ છે જ્યાં એક જ્યોતિર્લિંગ, ત્રણ શક્તિપીઠ, ચાર ધામ, પંચ કેદાર, પંચ પ્રયાગ અને સપ્ત બદ્રી જેવા પવિત્ર સ્થળો આવેલા છે. રાજ્યના વિકાસને કોઈ રોકી શકતું નથી, જેનો દરેક ભાગ શ્રદ્ધાથી ભરેલો છે.'

મોદી સરકારની સિદ્ધિઓ પર બોલતા અમિત શાહે કહ્યું- 'પહેલા એવું કહેવામાં આવતું હતું કે જો માળખાગત સુવિધાઓ અને ઉદ્યોગનો વિકાસ થાય છે, તો ગરીબો સમૃદ્ધ થઈ શકતા નથી, પરંતુ મોદીજીએ આ માન્યતા તોડી નાખી.' તેમણે કહ્યું કે મોદી સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે અને ગરીબ કલ્યાણ માટે ડઝનબંધ યોજનાઓ શરૂ કરી છે.

ગૃહમંત્રીએ કહ્યું કે, પહાડી રાજ્ય હોવા છતાં, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના પ્રયાસોને કારણે, ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ આવ્યું છે. 2023ના ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં હસ્તાક્ષર કરાયેલા 3.56 લાખ કરોડ રૂપિયાના એમઓયુમાંથી 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ જમીન પર ઉતરી ગયું છે. આજે રુદ્રપુરમાં 1,271 કરોડ રૂપિયાના પાંચ ઉદ્ઘાટન અને 14 શિલાન્યાસ કરવામાં આવ્યા.

શાહે કહ્યું, 'અટલજીએ ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢ જેવા ત્રણ નવા રાજ્યો બનાવ્યા અને મોદીજીએ તેમને સુધારવા માટે કામ કર્યું.' 'જ્યારે અટલજી ગયા, ત્યારે ભારત 11મું સૌથી મોટું અર્થતંત્ર હતું, અને મોદીજીએ ભારતને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનાવ્યું છે.' '2027 સુધીમાં, આપણે ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનીશું - તમે તે લખી શકો છો.'

અમિત શાહે કહ્યું કે ઉત્તરાખંડની નદીઓ ભારતના અડધા ભાગને પીવાનું પાણી, સિંચાઈ માટે પાણી અને જીવનની ગતિ પૂરી પાડે છે. અહીંના સંતો અને મહાત્માઓ ગંગાના કિનારે હજારો વર્ષોથી સંસ્કૃતિનું જતન અને વિકાસ કરી રહ્યા છે. ઉત્તરાખંડમાં પ્રકૃતિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ છે, જે તેને ખાસ બનાવે છે.