અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીમાં જ ગાર્ડે ગોળી મારી આપઘાત કરી લેતા પોલીસબેડામાં અરેરાટી વ્યાપી

અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીએ જાતે જ ગોળી મારી જીવન ટૂંકાવી દીધું હતું. આ આપઘાત ની ઘટનાથી પોલીસબેડામાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

New Update
boddy

અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીએ જાતે જ ગોળી મારી જીવન ટૂંકાવી દીધું હતું. આ આપઘાત ની ઘટનાથી પોલીસબેડામાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જિતેન્દ્ર વાજાને બે દિવસ પહેલાં જ અમદાવાદની પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે  ફરજ પર મૂકવામાં આવ્યા હતા. તેમને રાયફલ અને 20 જેટલા કારતૂસ પણ આપવામાં આવ્યા હતા. ગત મોડી રાત્રે કરેલા આપઘાતની જાણ આજે સવારે થઈ હતી. આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે. તપાસ બાદ રહસ્ય પરથી પડદો ઉંચકાશે. 

આ ઘટના બાદ શહેર પોલીસ કમિશનરે મૃતકના પરિવારને સાંત્વના આપી હતી. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.અને સમગ્ર કેસની તપાસના આદેશ આપ્યા છે. 15મી ઓગસ્ટે ધ્વજ વંદનના કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનરે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. 

Latest Stories