અમદાવાદ : સોલા પોલીસ મથકમાંથી ફરાર થયેલો આરોપી દાહોદથી ઝડપાયો...

અમદાવાદ શહેરના સોલા પોલીસ મથકમાંથી પોલીસને ચકમો આપી ફરાર થયેલા આરોપીને પોલીસે દાહોડથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અમદાવાદ શહેરના સોલા પોલીસ મથકમાંથી પોલીસને ચકમો આપી ફરાર થયેલા આરોપીને પોલીસે દાહોડથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

થોડા દિવસો પહેલા અમદાવાદ શહેરના સોલા પોલીસ મથકની પોલીસ કસ્ટડીમાંથી ટોયલેટની જાળી તોડીને આરોપી ભાગી ગયો હતો. આરોપી પોલીસ કસ્ટડીમાં રિમાંડ ઉપર હતો તે દરમ્યાન તા. 13 જુલાઈના રોજ પોલીસ સ્ટેશનમાંથી કુદરતી હાજતે જવાના બહાને ટોઇલેટની બારી તોડી નાસી છૂટ્યો હતો. જે મામલે આરોપી વિરુદ્ધ અલાયદો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. અમદાવાદ પોલીસ કમિશ્નર શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-1 અમદાવાદ શહેર દ્વારા આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી કવાયત શરૂ કરવામાં આવી હતી. જેમાં છેલ્લા અઠવાડીયાથી આ ટીમો આરોપીના રહેણાંક ગામમાં તથા આજુબાજુના વિસ્તારોમાં આરોપીની શોધખોળ કરી હતી.
તપાસ દરમ્યાન આરોપી તેના વતનમ હોવાનું સામે આવ્યું હતું. છાપરા વિસ્તારમાં આરોપીએ અન્ય શ્રમિકનો ફોન મેળવી પોતે કસ્ટડીમાંથી નાસી ગયો હોવાનું પોતાના ભાઈને જણાવ્યું હતું. ભાઈનો સંપર્ક કરી આરોપીએ શ્રમિકના એકાઉન્ટમાં ઓનલાઈન નાણા ટ્રાન્સફર કરાવી આર્થીક મદદ મેળવી હતી. ત્યાંથી અલગ અલગ વિસ્તારમાં થઈ ખેડા જિલ્લાના નડીયાદ ખાતે અને ત્યારબાદ આરોપી બસમાં બેસીને પોતાના વતન દાહોદ તરફ નાસી ગયો હતો. સમગ્ર મામલે પોલીસને મળેલ ચોક્કસ બાતમીની ખરાઈ કરતાં અને ટેક્નીકલ સર્વેલન્સની મદદથી મોરબી ખાતેથી આરોપીના ભાઈને હસ્તગત પુછપરછ કરતાં આરોપી પોતાના વતન લીમખેડાના દુધીયા ગામના ચિભડીયા ખાતે રોકાયો હોવાની હકિક્ત જાણવા મળી હતી. માહિતી મળતાં જ પોલીસે  બતમીવાળા સ્થળે પહોંચી પોલીસને ચકમો આપી ફરાર થનાર આરોપીની ધરપકડ કરી ફરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.