અમદાવાદ : સુમેલ બિઝનેસ પાર્કમાં બાઉન્સરે વેપારીને માર માર્યો, સીસીટીવી આવ્યાં સામે

અમદાવાદનું સુમેલ બિઝનેસ પાર્કમાંએક વેપારીને બાઉન્સરોએ ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની છે. સીસીટીવીમાં બાઉન્સરો વેપારીને લાકડીથી મારી રહયાં છે.

New Update
અમદાવાદ : સુમેલ બિઝનેસ પાર્કમાં બાઉન્સરે વેપારીને માર માર્યો, સીસીટીવી આવ્યાં સામે

અમદાવાદ કાગડાપીઠ ખાતે આવેલ સુમેલ બિઝનેસ પાર્ક માં સિક્યુરિટી ગાર્ડે વેપારીને જાહેરમાં માર માર્યો હોવાની ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યાં છે..અમદાવાદનું સુમેલ બિઝનેસ પાર્કમાંએક વેપારીને બાઉન્સરોએ ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની છે.

સીસીટીવીમાં બાઉન્સરો વેપારીને લાકડીથી મારી રહયાં છે. વેપારીને હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ અને એસોસિએશનના હોદ્દેદારો પણ હાજર હતા તેમ છતાં વેપારીને જાહેરમાં માર મારવામાં આવી રહ્યો હતો.

અહીં સવાલ એ થાય કે શું વેપારીનો કોઈ વાંક હશે ? પોલીસની હાજરી હોવા છતાં પણ સિક્યુરીટી ગાર્ડસના માણસો બેફામ કેમ બન્યા ? શું પોલીસની મંજૂરીથી વેપારીને માર મારવામાં આવ્યો ? વેપારીને શા માટે માર મારવામાં આવ્યો.. આવા અનેક સવાલોના જવાબ હજી મળ્યાં નથી. બાઉન્સરોના આવા વર્તન ને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.