અમદાવાદ : ભાઈ-બહેનના પવિત્ર બંધનને શર્મસાર કરતો કિસ્સો, પિતરાઇ ભાઇએ બહેન પર દુષ્કર્મ ગુજારતા નોંધાઈ પોલીસ ફરિયાદ...

અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં આરોપી અન્ય કોઈ નહીં,

New Update
અમદાવાદ : ભાઈ-બહેનના પવિત્ર બંધનને શર્મસાર કરતો કિસ્સો, પિતરાઇ ભાઇએ બહેન પર દુષ્કર્મ ગુજારતા નોંધાઈ પોલીસ ફરિયાદ...

અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં આરોપી અન્ય કોઈ નહીં, પરંતુ સગીરાનો પિતરાઈ ભાઈ હોવાનું ખુલ્યું છે. આ ઘટના સંદર્ભે વેજલપુર પોલીસે યુવક સામે ગુનો નોંધી તેની ધરપકડની પ્રક્રિયા તેજ કરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા 58 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓ પોતાના દીકરા સાથે રહે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 16 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બનતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં 16 સપ્ટેમ્બર 2022ના સાંજના સમયે ફરિયાદી ઘરે હાજર હતા, તે સમયે તેમની ભાણીએ ફોન કરી પોતે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે મારા પિતા સાથે આવી છે, અને તમારા ઘરે આવવું છે. પિતાજી સાથે રહેવું નથી તેવી વાત કરતા ફરિયાદ દિકરા સાથે આનંદનગર પોલીસ સ્ટેશન ગયા હતા, અને કિશોરીને ઘરે લાવી અચાનક પોલીસ સ્ટેશન કેમ જવું પડ્યું તે અંગે પૂછપરછ કરી હતી. સગીરાએ નાનીને જણાવ્યું હતું કે, મોટા બાપાનો દીકરો ઘણા સમયથી તેની પર નજર બગાડે છે, અને ફેબ્રુઆરી મહિનામાં સગીરા ઘરે એકલી હતી, ત્યારે પિતરાઈ ભાઈ ઘરે આવ્યો હતો અને પકડી રાખી જબરદસ્તી કરી યુવતી સાથે શારીરિક છેડતી કરી આ વાત કોઈને કરીશ તો જાનથી મારી નાખીશ, તેવી ધમકી આપી હતી. જેના કારણે સગીરા ડરી જતા તેણે આ બાબતની જાણ કોઈને કરી ન હતી. જે બાદ માર્ચ મહિનામાં બપોરના સમયે ફરીથી યુવતી ઘરે એકલી હતી, તે દરમિયાન પિતરાઈ ભાઈ ત્યાં આવ્યો હતો, અને ઘરનો દરવાજો બંધ કરી જબરદસ્તી યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીએ આ બાબતે કોઈને કહીશ તો તને તથા તારી બહેન અને તારા દાદીને જાનથી મારી નાખીશ તે પ્રકારની ધમકી આપી જતો રહ્યો હતો, જેથી સગીરા ગભરાઈ ગઈ હતી. જે ઘટનાને એક મહિના બાદ એપ્રિલ મહિનામાં ફરીવાર પિતરાઈ ભાઈ સગીરાના ઘરે પહોંચ્યો હતો, અને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. અને બાદમાં ઓગષ્ટ મહિનામાં દુષ્કર્મ ગુજાર્યું હતું, એમ અલગ અલગ 3 વાર 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ ગુજારવામાં આવતા અંતે પિતરાઈ ભાઈના ત્રાસ અને ડરથી કંટાળી તે આનંદનગર પોલીસ મથકે પહોંચી હતી. આ ઘટના સંદર્ભે વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી આરોપીની ધરપકડ કરવાની તજવીજ તેજ કરી છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.