-
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ની કામગીરી દરમિયાન સર્જાઈ દુર્ઘટના
-
વટવા- રોપડામાં બ્રિજની કામગીરી દરમ્યાન ક્રેન તૂટી
-
દુર્ઘટનામાં બે કર્મચારીઓ થયા ઇજાગ્રસ્ત
-
ઘટનામાં ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો
-
રેલવે વિભાગે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી
અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે વટવા-રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઉભા કરવાની કામગીરી વખતે અચાનક ક્રેન તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.આ ઘટનામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાની માહિતી છે પરંતુ આ સિવાય કોઈ મોટી જાનહાનિના અહેવાલ જાણવા મળ્યા નથી.
અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી દરમિયાન વટવા- રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઉભા કરતી વેળાએ અચાનક વિશાળકાય ક્રેન તૂટી પડી હતી,જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.જ્યારે આ ઘટનામાં બે કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
બુલેટ ટ્રેનના પિલ્લર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી. જેના કારણે નજીક માંથી પસાર થતા રેલવે ટ્રેકને નુકસાન થયું હતું.અને મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડતી અનેક ટ્રેનોની અવર-જવરને અસર થઇ હતી. માહિતી મુજબ ગત રાતે જ વડોદરાથી અમદાવાદ તરફ જતી 10 જેટલી ટ્રેનો ખોરવાઈ ગઈ હતી. તેને વિવિધ સ્ટેશનોએ અટકાવી દેવામાં આવી હતી.
આ ક્રેન મોટી હોવાને કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેની રેલવે લાઈન પર આવેલ ઓવરહેડ વાયર તૂટી પડ્યો હતો.જેના લીધે અનેક ટ્રેનો ઠપ થઇ ગઇ હતી. હાલમાં અપલાઈન ચાલુ છે અને ડાઉન લાઈન પર દોડતી ટ્રેન બંધ છે. ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયા છે.જ્યારે કેટલીક ટ્રેનના રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે.રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ટ્રેન વ્યવહારને રાબેતા મુજબ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.