અમદાવાદ : બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે વટવામાં ક્રેન તૂટી પડતા નાસભાગ મચી, દુર્ઘટનાને પગલે રેલ વ્યવહાર ખોરવાયો

અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી દરમિયાન વટવા- રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઉભા કરતી વેળાએ અચાનક વિશાળકાય ક્રેન તૂટી પડી હતી,

New Update
  • બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ની કામગીરી દરમિયાન સર્જાઈ દુર્ઘટના

  • વટવા- રોપડામાં બ્રિજની કામગીરી દરમ્યાન ક્રેન તૂટી

  • દુર્ઘટનામાં બે કર્મચારીઓ થયા ઇજાગ્રસ્ત

  • ઘટનામાં ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો

  • રેલવે વિભાગે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી 

અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છેત્યારે વટવા-રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઉભા કરવાની કામગીરી વખતે અચાનક ક્રેન તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.આ ઘટનામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાની માહિતી છે પરંતુ આ સિવાય કોઈ મોટી જાનહાનિના અહેવાલ જાણવા મળ્યા નથી.

અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી દરમિયાન વટવા- રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઉભા કરતી વેળાએ અચાનક વિશાળકાય ક્રેન તૂટી પડી હતી,જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.જ્યારે આ ઘટનામાં બે કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. 

બુલેટ ટ્રેનના પિલ્લર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી. જેના કારણે નજીક માંથી પસાર થતા રેલવે ટ્રેકને નુકસાન થયું હતું.અને મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડતી અનેક ટ્રેનોની અવર-જવરને અસર થઇ હતી. માહિતી મુજબ ગત રાતે જ વડોદરાથી અમદાવાદ તરફ જતી 10 જેટલી ટ્રેનો ખોરવાઈ ગઈ હતી. તેને વિવિધ સ્ટેશનોએ અટકાવી દેવામાં આવી હતી.

આ ક્રેન મોટી હોવાને કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેની રેલવે લાઈન પર આવેલ ઓવરહેડ વાયર તૂટી પડ્યો હતો.જેના લીધે અનેક ટ્રેનો ઠપ થઇ ગઇ હતી. હાલમાં અપલાઈન ચાલુ છે અને ડાઉન લાઈન પર દોડતી ટ્રેન બંધ છે. ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયા છે.જ્યારે કેટલીક ટ્રેનના રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે.રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ટ્રેન વ્યવહારને રાબેતા મુજબ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

 

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.