અમદાવાદ : 12 વર્ષથી ફેફસાની બીમારીથી પીડાતી મહિલાના બન્ને ફેફસા ટ્રાન્સફર કરી નવું જીવનદાન અપાયું...

New Update
અમદાવાદ : 12 વર્ષથી ફેફસાની બીમારીથી પીડાતી મહિલાના બન્ને ફેફસા ટ્રાન્સફર કરી નવું જીવનદાન અપાયું...

મનુષ્યને પહેલા જો કોઈ ગંભીર રોગ કે શરીરનો અંગ ખરાબ થઈ જાય તો તે દવાના સહારે જ થોડો વધારે સમય બચી શકતો હતો. પરંતુ હવે ટેકનોલોજીના મદદથી એ શરીરના અંગો પણ હવે ટ્રાન્સફર કરી અન્ય દર્દીના પણ જીવ બચાવી શકાય છે જેના માટે ઘણા એનજીઓ પણ મદદ આવી રહ્યા છે, ત્યારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 12 વર્ષથી ફેફસાની બીમારીથી પીડાતી મહિલાના બંને ફેફસા ટ્રાન્સફર કરીને તેને નવું જીવનદાન આપવામાં આવ્યું છે. ડોક્ટર હરજીત ડુમરે જણાવ્યું હતું કે, 40 વર્ષની મહિલાને ખૂબ જ નાની ઉંમરે ફેફસાની ગંભીર બીમારી થઈ હતી. જેના કારણે તેનો પરિવાર પણ ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. તેને દૈનિક 2 લીટર ઓક્સિજનની જરૂર પડતી હતી. પરંતુ ધીમે ધીમે આ રોગ વધતા તેને 20 લીટર જેટલા ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ હતી. આ ગંભીર બીમારી એવી હતી કે, આનો કોઈ ઈલાજ હતો નહીં. પરંતુ જે બીમારી વધી રહી હતી તે થોડાક અંશ સુધી ફેલાતી અટકાવી શકાય છે. પરંતુ સંપૂર્ણ રીતે નાબૂદ કરી શકાય તેવી ન હતી. જેના કારણે તેનો પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં મુકાયો હતો, ત્યારે અંકલેશ્વર ખાતે એક ખેડૂત પુત્ર અકસ્માત થતા તેને બ્રેઇન હેમરેજ થતા તેમનું મૃત્યુ થયું હતું. અંતે પરિવારે તે મૃતકના શરીરના અંગો દાન કરવાનો વિચાર કર્યો હતો. તેના કુલ 7 અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમાંથી એક ફેફસાનું દાન આ મહિલાને કરવામાં આવ્યું હતું. જેને ચાટર પ્લેન દ્વારા સુરત થી અમદાવાદ લાવવામાં આવ્યું હતું, અને અમદાવાદ પોલીસ દ્વારા ટીમને ગ્રીન કોરિડોર તૈયાર કરી માત્ર 2 કલાકમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ 15 ડોકટરની એક ટીમે આ ઓપરેશન 6 કલાકની મહેનતથી સફળતા પ્રાપ્ત કરી હતી.

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.