અમદાવાદ: AMCનું રૂ.8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ,મિલકત વેરામાં વધારો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ.8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે, જો કે, બજેટમાં મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો છે

New Update
અમદાવાદ:AMCની નવી પહેલ,ઘરે બેઠા પ્રોપર્ટી ટેક્સના બીલ ડાઉનલોડ કરી શકાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ.8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે, જો કે, બજેટમાં મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો છે, ગત વર્ષની સરખામણીએ રૂ.289 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટ માં મિલકત વેરામાં વધારો કરાયો છે. મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન રજૂ કરેલા આ વર્ષના બજેટમાં દેશ વર્ષ બાદ મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો છે. મિલકત વેરાનો જૂનો દર પ્રતિ સ્ક્વેર ફૂટ રૂ. 16 હતો, જે વધારીને રૂ 23 કરવામાં આવ્યો છે, જ્યારે બિન રહેણાંક મિલકત માં સ્ક્વેર ફૂટ રૂ.28 હતો તેમાં વધારો કરીને રૂ.37 કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે ગત વર્ષનું બજેટ રૂ.8111 કરોડનું હતું, તેમાં રૂપિયા 289 કરોડનો વધારો કરી રૂ. 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે.પાણી અને કન્ઝર્વેશન ટેક્સ યથાવત રાખીને નાગરિકોને રાહત અપાઈ છે, પરંતુ મોટાભાગના રહીશો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરતા નથી ત્યારે તેમની પાસેથી એન્વાયરન્મેન્ટ ઈન્ક્રીમેન્ટ ચાર્જ નો નવો બોજો વસૂલાશે, જેમાં રહેણાંક માટે રૂ. પાંચથી લઈને ત્રણ હજાર અને બિન રહેણાંક માટે રૂ.150 થી રૂ.7000 વસૂલાશે તેવી જ રીતે ડોર ટુ ડોર કચરા કલેકશન નો ભાવ રૂ. એકથી વધારે બે કર્યો છે, જ્યારે બિન રહેણાંક માટે જે તે વિસ્તાર મુજબ ભાવ વધારો લેવાશે. અમદાવાદમાં માનસી, પંચવટી અને વિસત સર્કલ સહિત કુલ પાંચ સર્કલ પર ટ્રાફિકની સમસ્યા હોવાથી ફ્લાય ઓવર બનાવવામાં આવશે.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.