અમદાવાદ : ચાંદખેડામાં AMTS બસમાં કાર ધડાકાભેર ઘૂસી જતા સર્જાયો અકસ્માત, એકનું મોત,અન્ય ઈજાગ્રસ્ત.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.AMTSની બસના પાછળના ભાગમાં XUV કાર ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

New Update
  • ચાંદખેડામાં કારની તેજ રફ્તારનું ગંભીર પરિણામ

  • XUV કાર ચાલકેAMTS બસમાં કાર ધડાકાભેર અથાડી

  • કારમાં સવાર એક વ્યક્તિનું કરૂણ મોત,કાર ચાલક ઈજાગ્રસ્ત

  • કારમાંથી દારૂની ફૂટેલી બોટલ પણ મળી આવી

  • પોલીસે અકસ્માતનો ગુનો નોંધી શરૂ કરી કાર્યવાહી 

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.AMTSની બસના પાછળના ભાગમાંXUV કાર ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે,જ્યારે અન્ય ઈજાગ્રસ્ત થયા છે.અને કારમાંથી પોલીસને દારૂની બોટલ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદના ચાંદખેડા ગામ બસ સ્ટેન્ડ પાસે આજે 28 માર્ચના રોજ સવારના સમયેAMTS બસ અનેXUV કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. બસ સ્ટેન્ડ પરAMTS પેસેન્જર લેવા ઉભી હતી,તે દરમિયાન પાછળથી તેજ રફતારથી આવતીXUV કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલક પાસે બેસેલા વિકાસ શુક્લા નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું.જ્યારે કારચાલક પ્રકાશકુમાર સિંઘ અને બસમાં ચડતા પેસેન્જરો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.કારની ટક્કર એટલી જોરદાર હતી કે બસ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ હતી. આ સાથે કારમાંથી એક દારૂની ફૂટેલી બોટલ પણ મળી હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિકોનો દાવો છે કે અકસ્માત સર્જનાર કારચાલકે એક બાઈકને પણ ટક્કર મારી હતી. ડ્રાઈવર કારમાં ફસાઇ ગયો હતો,જેને ગંભીર ઈજાઓ થઈ છે અને તેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.અને હાલમાં પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

અમદાવાદ : અલકાયદા સાથે જોડાયેલા 4 શખ્સોની ગુજરાત ATSએ ધરપકડ કરી, AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

New Update
  • ATSએ અલકાયદા સાથે જોડાયેલા શખ્સોની ધરપકડ

  • AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

  • જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પણ કરતાં હતા પોસ્ટ

  • ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી

  • અમદાવાદ અને મોડાસાની 2 શખ્સોનો સમાવેશ

  • 2 શખ્સ દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું

ગુજરાતATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલાAQIS (અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરનાર મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાનમોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસસેફુલ્લા કુરેશી મહમદ રફીક અને ઝીશાન અલી આસિફ અલીની ગુજરાતATSએ ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનુંATSની તપાસમાં સામે આવ્યું છે. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. માત્ર એટલું જ નહીંતેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી આવી છે.

ગુજરાતATSએ ધરપકડ કર્યા બાદ અમદાવાદ અને મોડાસાના આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ અંગેATS DIG સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ગત તા. 10 જૂને 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી. જેમાં શરિયત યા શહાદતફરદીન 3મુજાહિદ્દ 1મુજાહિદ્દ 3 અને સેફુલ્લા મુજાહિદ્દ 313 આ 5 એકાઉન્ટ અંગે માહિત મળી હતી. આ 5 એકાઉન્ટ એ એક પ્રોસ્ક્રાઈબ ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝેશન છે. જે અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા. એટલું જ નહીંભારતીય યુવાઓને ધાર્મિક રીતે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે ઉશ્કેરણી કરી રહ્યા હતા.