અમદાવાદ: રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથના રથ સહીત ત્રણેય નવા રથનું મંદિર પરિસરમાં કરાયુ પરીક્ષણ

ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે આજરોજ ભગવાનના નવા રથનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.

New Update
અમદાવાદ: રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથના રથ સહીત ત્રણેય નવા રથનું મંદિર પરિસરમાં કરાયુ પરીક્ષણ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે આજરોજ ભગવાનના નવા રથનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં ભગવાન જગન્નનાથજીની 146મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ છે. જગન્નાથ મંદિરેથી આગામી 20મી જૂને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી નવા રથમાં બેસી નગરચર્યા કરવા નીકળશે. આ વખતની ભગવાન જગન્નનાથજીની 146મી રથયાત્રા ખાસ છે, કારણ કે જગન્નાથજીના રથ સહીત ત્રણેય રથ વર્ષો પછી નવા બનાવવામાં આવ્યાં છે. છેલ્લાં 3 મહિનાથી ભગવાનના નવા રથ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જગન્નાથપુરીની રથયાત્રા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અમદાવાદની રથયાત્રામાં નવા રથ જગન્નાથપુરીની રથયાત્રાના રથ જેવા જ બનાવવામાં આવ્યાં છે. જગન્નાથજીના રથ સહીત ત્રણેય નવા રથનું ટ્રાયલ કરવામાં આવ્યુ હતુ. આ ત્રણેય રથને મંદિર પરિસરમાં ફેરવીને રથના સ્ટ્રક્ચરને લગતા વિવિધ પાસાઓનું અવલોકન કરવામાં આવ્યું હતુ.

Read the Next Article

ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! સોનું-ચાંદી ખરીદવાનો મોકો, જાણો લેટેસ્ટ ભાવ

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

New Update
golddd

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના-ચાંદીના ભાવમાં થોડા સમયથી વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જોકે આજે સોનાના ભાવ ઘટી ગયા છે, ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે.

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,720 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,540 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,770 રૂપિયા છે.

આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજે 5 જુલાઈ શનિવારના રોજ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદીનો ભાવ 1,11,100 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

 Business | Today Gold Rate | Gold and silver Price Rise