અમદાવાદ : ચાલુ બસે IPL મેચ જોવાના ચક્કરમાં BRTS ડ્રાઇવરે લોકોના જીવ જોખમમાં મુક્યા, વિડિયો થયો વાયરલ

BRTS બસનો ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલમાં IPL મેચ જોતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો

New Update
અમદાવાદ : ચાલુ બસે IPL મેચ જોવાના ચક્કરમાં BRTS ડ્રાઇવરે લોકોના જીવ જોખમમાં મુક્યા, વિડિયો થયો વાયરલ

અમદાવાદ શહેરમાં IPL મેચ ચાલુ બસે જોવાના ચક્કરમાં લોકોના જીવ જોખમમાં મુકનાર ડ્રાઈવરને ફરજ પરથી મુકત કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જાહેર પરિવહનની સેવાઓ જેને હવે ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે. જોકે, ખાનગી ઓપરેટરની બસના ડ્રાઈવરો દ્વારા અકસ્માત સર્જવાની અને લોકોના જીવને જોખમમાં મુકવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે AMTS બાદ હવે BRTSનો વિવાદ સામે આવ્યો છે.

અમદાવાદ શહેરની BRTS બસનો ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલમાં IPL મેચ જોતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ડ્રાઈવરના કાનમાં ઇયર બર્ડ્સ અને એક હાથમાં સ્ટીયરિંગ તો બીજા હાથમાં મોબાઈલ ફોનનો આ વીડિયો અંજલી ચાર રસ્તાથી મણીનગરના રૂટની બસનો હોવાનું સામે આવ્યું છે. જોકે, આ મામલે BRTSના ડ્રાઈવરને ફરજ પરથી મુકત કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે, ત્યારે હાલ તો ચાલુ બસે IPL મેચ જોતા ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.