અમદાવાદ: સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાલ સતત ચોથા દિવસે યથાવત,દર્દીઓને હાલાકી

New Update
અમદાવાદ: સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાલ સતત ચોથા દિવસે યથાવત,દર્દીઓને હાલાકી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળનો આજે ચોથો દિવસ છે ત્યારે OPD ઈમરજન્સી સેવા સિવાય તમામ કામગીરીથી તબીબો અળગા જોવા મળી રહ્યા છે તબીબોની હડતાળને પગલે હોસ્પિટલમાં ઓપરેશન તેમજ કોવિડમાં પણ કામગીરી ઠપ્પ જોવા મળી રહી છે. હડતાળ પર બેઠેલા તબીબો પોસ્ટર સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. રેસિડેન્ટ ડૉક્ટર્સ પોતાની માંગને લઈને અડીખમ છે.તબીબો 4 માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. બી.જે.મેડિકલ કોલેજ, NHL, શારદાબેન હોસ્પિટલમાં અંદાજીત 1 હજાર તબીબો હડતાળ પર ઉતરતા રૂટિન OPDને પણ અસર થઈ છે.અમદાવાદ,રાજકોટ સુરત સહીતનાં તબીબી વિદ્યાર્થીઓ ની હડતાલને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

સરકારી મેડિકલ હોસ્પિટલમાં વધુ સ્ટાફ ફાળવાશે, સાથે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડી રહેલી હાલાકીને જોતા આરોગ્ય વિભાગે મેડિકલ હોસ્પિટલમાં 25 -25 મેડિકલ ઓફિસર ફાળવવા પણ નિર્ણય કર્યો છે.દર્દીઓની OPD માં સારવાર મળી રહે તે માટે આ નિર્ણય મહત્વનો છે. મેડીકલનાં વિદ્યાર્થીઓની PGમાં પ્રવેશ સહિત વિવિધ મુદ્દાઓને લઈને હડતાળ ચાલી રહી છે. NEET PG નું વર્ષ 2021નું પરિણામ આવ્યાને ઘણો સમય પસાર થઈ ગયો છે પરંતુ હજુ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું નથી, જેને કારણે ડોક્ટરો હડતાલ પર ઉતર્યાં છે ડોક્ટરોનું કહેવું છે કે, કોરોનાની ત્રીજી લહેરનું જોખમ હોવાથી દર્દીઓને સમયસર સારવાર મળવી જરૂરી છે. જો નવા ડોક્ટરોની ભરતી નહીં થાય તો દર્દીઓને સમયસર સારવાર મળી શકશે નહીં અને ફરીથી બીજી લહેર જેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે