અમદાવાદ: ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાયેલ યોગ સ્પર્ધાના વિજેતા પ્લેયરોને મેડલ એનાયત કરાયા

નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાયેલ યોગ સ્પર્ધાના વિજેતાઓના રાજ્યના સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્માના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

New Update
અમદાવાદ: ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાયેલ યોગ સ્પર્ધાના વિજેતા પ્લેયરોને મેડલ એનાયત કરાયા

અમદાવાદમાં નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાયેલ યોગ સ્પર્ધાના વિજેતાઓના રાજ્યના સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્માના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

૩૬મી નેશનલ ગેમ્સ -૨૦૨૨નું ગુજરાત યજમાન બન્યું છે ત્યારે ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ, કાંકરિયા, અમદાવાદ સહિત રાજ્યભરમાં વિવિધ રમત-સ્પર્ધા યોજાઈ રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ ખાતે યોજાયેલી યોગ સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને આજે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે મેડલ એનાયત કરાયા હતા. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે યોગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવેલા મહારાષ્ટ્રના વૈભવ શ્રી રામીને ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. જ્યારે બીજા ક્રમાંકે પશ્ચિમ બંગાળના શુભવ દેબનાથ સિલ્વર મેડલ એનાયત કરાયો હતો. અને ત્રીજા ક્રમાંકે આવેલા કર્ણાટકના મોહંમદ ફિરોઝ શેખને બ્રોન્ઝ મેડલ એનાયત કરાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ ગેમ્સમાં યોગને રમત ગમતની કેટેગરીમાં પ્રથમ વખત સામેલ કરવામાં આવી છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.

Latest Stories