અમદાવાદ : ઝાયડસના ચેરમેન તરીકે ફરજ બજાવતા પંકજ પટેલે IIMના 14મા ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો...
ગુજરાત માટે વધુ એક ગૌરવ લેવા જેવા સમાચાર છે. અમદાવાદ IIMના નવા ચેરમેન તરીકે પંકજ પટેલની વરણી કરાઈ છે.
BY Connect Gujarat Desk16 Nov 2022 10:09 AM GMT
X
Connect Gujarat Desk16 Nov 2022 10:09 AM GMT
ગુજરાત માટે વધુ એક ગૌરવ લેવા જેવા સમાચાર છે. અમદાવાદ IIMના નવા ચેરમેન તરીકે પંકજ પટેલની વરણી કરાઈ છે. હાલ ઝાયડસના ચેરમેન તરીકે ફરજ બજાવતા પંકજ પટેલે IIMના 14મા ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો છે.
અત્રે મહત્વનું છે કે, પંકજ પટેલ IIM અમદાવાદ બોર્ડ ઓફ ગવર્નર્સના 8 વર્ષથી સભ્ય રહ્યા છે. હાલ પંકજ પટેલ ઝાયડસ કેડિલા કંપનીના ચેરમેન છે. અબજોપતિ બિઝનેસમેન તેઓ પોતે ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેરના ચેરમેન છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર્સ ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ તેમણે પિતાજી રમણ પટેલની સ્થાપેલી કંપની કેડિલા હેલ્થકેર જોઈન કરી લીધી હતી.
Next Story