અમદાવાદ: PM નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલથી નેશનલ ગેમ્સનો પ્રારંભ, રંગારંગ કાર્યક્રમો યોજાશે

36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની ગુરુવારે 29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.તેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

New Update
અમદાવાદ: PM નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલથી નેશનલ ગેમ્સનો પ્રારંભ, રંગારંગ કાર્યક્રમો યોજાશે

36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની ગુરુવારે 29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.તેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની આવતીકાલે છે ત્યારે આ સેરેમની વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આ ઓપનિંગ સેરેમની સમયે સ્ટેડિયમમાં 5000થી વધુ ખેલાડીઓ માર્ચ પાસ્ટ કરશે. સરદાર પટેલને ટ્રિબ્યૂટ આપતા 'ટોર્ચ ઓફ યુનિટી'ને સમગ્ર રાજ્યમાં ફેરવ્યા બાદ તે ઓપનિંગ સેરેમનીમાં પ્રજ્વલિત કરવામાં આવશે. એક રાષ્ટ્રીય અને એક આંતરરાષ્ટ્રીય ખેલાડી એમ બે એથ્લિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ટોર્ચ ઓફ યુનિટી' સોંપશે. આ ઉપરાંત ઓપનિંગ સેરેમની દરમિયાન આઈપીએલ ફાઈનલ કરતા પણ ભવ્ય અંદાજમાં લાઈટ શો અને આતશબાજી જોવા મળશે. આ માટે સ્ટેડિયમમાં ઠેર-ઠેર રિંગ્સ ઓફ ફાયર મુકવામાં આવી છે.સ્ટેન્ડ્સ અને ગ્રાઉન્ડમાં મોટાપાયે લાઈટ્સ ગોઠવવામાં આવી છે.આ નેશનલ ગેમ્સને લઈને રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા આવ્યું છે જેમાં સવારથી જ નેશનલ ગેમ્સમાં ભાગ લેનાર ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા પણ નજરે પડે છે.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માં ટેન્ટ પણ બનાવવામાં આવ્યા છે ત્યારે આજે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.અમદાવાદ: PM નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલથી નેશનલ ગેમ્સનો પ્રારંભ, રંગારંગ કાર્યક્રમો યોજાશે

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.