અમદાવાદ : રિવરફ્રન્ટ ફ્લાવર-શો અને કાંકરિયા કાર્નિવલને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ...

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફ્લાવર-શો માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મળતી વિગતો મુજબ, આગામી જાન્યુઆરી મહિનામાં ફ્લાવર-શો યોજાશે

New Update
અમદાવાદ : રિવરફ્રન્ટ ફ્લાવર-શો અને કાંકરિયા કાર્નિવલને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ...

અમદાવાદીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં દર વર્ષે યોજાતી 2 ઇવેન્ટ એક રિવરફ્રન્ટ પર ફ્લાવર-શો અને કાંકરિયા તળાવ ખાતે કાર્નિવલ, આ બંને ઈવેન્ટ માટે તંત્રએ અત્યારથી જ શરૂ કરી દીધી છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જાન્યુઆરી મહિનામાં યોજાનાર ફ્લાવર-શો માટે ફૂલોનું વાવેતર શરૂ કરાયું છે.

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફ્લાવર-શો માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મળતી વિગતો મુજબ, આગામી જાન્યુઆરી મહિનામાં ફ્લાવર-શો યોજાશે. આ તરફ જાન્યુઆરીમાં યોજાનારા ફ્લાવર-શોને લઈ ફૂલોનું વાવેતર શરૂ કરાયું છે. મહત્વનું છે કે, અમદાવાદ રિવરફ્રન્ટ પર દરવર્ષે ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખો લોકો ફ્લાવર-શો જોવા રિવરફ્રન્ટ જાય છે. અમદાવાદમાં કાંકરિયા ખાતે કાર્નિવલને લઈને પણ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, દર વર્ષે ડિસેમ્બરના અંતમાં કાંકરિયા કાર્નિવલ યોજાય છે. કોરોના વાયરસના કહેર બાદ આ વર્ષે થતા કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા છે. આ તરફ, હવે તંત્ર દ્વારા હાલમાં કાંકરિયાની આસપાસના રસ્તા અને દિવાલોનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.

Latest Stories