/connect-gujarat/media/post_banners/cc822691e4148c7989ca2c09d79155b4df59db8ff2be1a9ad873fda02d451f94.webp)
અમદાવાદીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં દર વર્ષે યોજાતી 2 ઇવેન્ટ એક રિવરફ્રન્ટ પર ફ્લાવર-શો અને કાંકરિયા તળાવ ખાતે કાર્નિવલ, આ બંને ઈવેન્ટ માટે તંત્રએ અત્યારથી જ શરૂ કરી દીધી છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જાન્યુઆરી મહિનામાં યોજાનાર ફ્લાવર-શો માટે ફૂલોનું વાવેતર શરૂ કરાયું છે.
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફ્લાવર-શો માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મળતી વિગતો મુજબ, આગામી જાન્યુઆરી મહિનામાં ફ્લાવર-શો યોજાશે. આ તરફ જાન્યુઆરીમાં યોજાનારા ફ્લાવર-શોને લઈ ફૂલોનું વાવેતર શરૂ કરાયું છે. મહત્વનું છે કે, અમદાવાદ રિવરફ્રન્ટ પર દરવર્ષે ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખો લોકો ફ્લાવર-શો જોવા રિવરફ્રન્ટ જાય છે. અમદાવાદમાં કાંકરિયા ખાતે કાર્નિવલને લઈને પણ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, દર વર્ષે ડિસેમ્બરના અંતમાં કાંકરિયા કાર્નિવલ યોજાય છે. કોરોના વાયરસના કહેર બાદ આ વર્ષે થતા કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા છે. આ તરફ, હવે તંત્ર દ્વારા હાલમાં કાંકરિયાની આસપાસના રસ્તા અને દિવાલોનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.