અમદાવાદ : રાજપથ કલબમાં એક પણ ફોર્મ નહિ ભરાતાં 10 ડીરેકટર્સ બિનહરીફ ચુંટાઇ આવ્યાં

અમદાવાદમાં આવેલી છે રાજપથ કલબ, દર વર્ષે 10 ડીરેકટર્સની યોજાઇ છે ચુંટણી.

New Update
અમદાવાદ : રાજપથ કલબમાં એક પણ ફોર્મ નહિ ભરાતાં 10 ડીરેકટર્સ બિનહરીફ ચુંટાઇ આવ્યાં

અમદાવાદના એસ.જી.હાઇવે પર આવેલી રાજપથ ક્લબની ચુંટણીમાં 10 ડીરેકટર્સ બિનહરીફ ચુંટાય આવ્યાં છે. છેલ્લા દિવસ સુધી એક પણ ફોર્મ નહિ ભરાતાં તમામ 10 ડીરેકટર્સને બિનહરીફ ચુંટી કાઢવામાં આવ્યાં છે.

Advertisment

અમદાવાદના એસ.જી.હાઇવે પર આવેલી રાજપથ ક્લબના 30 ડિરેક્ટરોમાંથી દર વર્ષે 10 ડિરેક્ટરોની ચુંટણી યોજવામાં આવે છે. આ વર્ષે 26મી ઓગષ્ટના રોજ ચુંટણી તથા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું છે. 10 ડીરેકટર્સની ખાલી પડેલી જગ્યા માટે અંતિમ દિવસ સુધી એક પણ ઉમેદવારી પત્ર ભરાયું ન હતું. રાજપથ કલબની વાત કરવામાં આવે તો.. કલબમાંથી કમલેશ પટેલ અને રાજેશ જેબલીયા નિવૃત થયા હતાં. તેમના સ્થાને મનોજ પટેલ અને અનિલ શાહની નિમણુંક કરવામાં આવી હતી. નવા ડીરેકટર્સ તરીકે દિલીપ પટેલ, અનિલ શાહ, કિરણ વસાણી, મિશેલ પટેલ, મુકેશપટેલ,પ્રાગજી કાકડિયા,મનોજ પટેલ,રાજીવ શાહ ,રક્ષેશ સત્ય અને રક્ષિત પટેલ બિનહરીફ ચુંટાય આવ્યાં છે. આ તમામ ડીરેકટર્સની સત્તાવાર જાહેરાત 26મી ઓગષ્ટના રોજ મળનારી વાર્ષિક સાધારણ સભામાં કરવામાં આાવશે.

Read the Next Article

અમદાવાદ : પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારતા મોપેડ સવાર 2 યુવકોના મોત, પોલીસ તપાસ શરૂ...

મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલ  કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા

New Update
  • નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત

  • પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારી

  • મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા

  • ભંયકર અકસ્માત સર્જાતા 2 યુવકોના નીપજ્યાં છે મોત

  • ફરાર કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસ તપાસ શરૂ

અમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવકોના મોત નીપજ્યાં હતાજ્યારે ફરાર કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારઅમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણીBRTS બસ સ્ટેશન પાસે ગત તા. 10 ઓગસ્ટની મોડીરાતે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાંGJ-01-PX-9355 નંબરની મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલGJ-27-DM-9702 નંબરની કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા હતા.

ત્યારે ગંભીર ઇજાના મોપેડ પર સવાર અકરમ કુરેશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુંજ્યારે અશફાક અજમેરીને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં હતોજ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ગંભીર અકસ્માતમાં બન્ને યુવકના મોત નીપજ્યાં છેજ્યારે અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Latest Stories