અમદાવાદ : ચેકઅપના આપત્તિજનક ફૂટેજ-કુંભ સ્નાન કરતી મહિલાઓના વિડિયો વેંચનાર 3 નરાધમોના રિમાન્ડ મંજૂર...

CCTV ફૂટેજ વેચવાનું કૃત્ય કરનાર 3 નરાધમોની ધરપકડ કરી મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

New Update
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી મોટી સફળતા

  • મહિલાઓના ચેકઅપના આપત્તિજનક ફૂટેજ વેચવાનું કૃત્ય

  • ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા 3 નરાધમોની ધરપકડ કરાય

  • ત્રણેય આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ

  • કોર્ટે 3 આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા 

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક CCTV ફૂટેજ વેચવાનું કૃત્ય કરનાર 3 નરાધમોની ધરપકડ કરી મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતાજ્યાં 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જોકેકોર્ટે આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક CCTV ફૂટેજ વેચવાનું કૃત્ય કરનાર પ્રજવલ અશોક તૈલીચંદ્રપ્રકાશ ફુલચંદ અને પ્રજ રાજેન્દ્ર પાટીલની અલગ અલગ રાજ્યમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ત્રણેય આરોપીઓએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો ખુલાસો થયો છે.

આ ત્રણેય આરોપી યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના વીડિયો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે.

તો બીજી તરફ, CCTV કેઆઇપી એડ્રેસના આધારે રોમાનિયા અને એટલાન્ટાથી હેક થયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણેઆ રેકેટ છેલ્લા 1 વર્ષથી ચાલતું હતું. જેમાં અનેક સ્ત્રીઓના વીડિયો આ લોકોને વેચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ સમગ્ર મામલાની તપાસ માટે આરોપીઓના રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ત્રણેય આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાજ્યાં સરકારી વકીલ દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જોકેકોર્ટે આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆ વીડિયો આરોપીઓએ જાતે ઉતાર્યા છે કેકોઈની પાસેથી મેળવ્યા છે. તેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ પાસે અનેક જાણકારી સામે આવી છે. જે મુજબ અલગ અલગ થિયરી પર પોલીસ કામ કરી રહી છે.

Read the Next Article

અમદાવાદ 148મી રથયાત્રામાં હાથી ભડકતા મચી હતી અફરાતફરી,ઉશ્કેરાયેલા ગજરાજની મદદે આવ્યું વનતારા

વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ સ્થા વનતારાએ 148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમર્જન્સી ટીમ તૈનાત કરી હતી

New Update
vantara

અનંત અંબાણીના નેજા હેઠળની વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી પરોપકારી સંસ્થા વનતારાએ 148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમર્જન્સી ટીમ તૈનાત કરી હતી.આ ટીમમાં બે વન્યજીવ પશુ ચિકિત્સકોછ વરિષ્ઠ મહાવતોતાલીમ પામેલા અગિયાર સહાયક સ્ટાફ અને પાંચ એલિફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ થતો હતોજે કટોકટીના સમયમાં હાથીને તબીબી સંભાળ અને વર્તણૂકીય સહાય પૂરી પાડવા માટે સજ્જ હતા.

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન આ ઘટના ત્યારે બની હતી,જ્યારે શોભાયાત્રા દરમિયાન મોટેથી વાગતા સંગીતના અને ભીડના અવાજથી ગભરાયેલો એક નર હાથી અચાનક હરોળ તોડીને આગળ ધસી ગયો હતો. પાછળ પાછળ આવી રહેલા બે હાથીઓ પણ ગભરાઈ ગયા અને દોડી ગયા હતાજેના કારણે શોભાયાત્રામાં ખલેલ પહોંચી અને થોડા સમય માટે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.

વનતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત નર અને માદા હાથીઓના તબીબી મૂલ્યાંકનમાં મદદ કરીવર્તણૂકીય અને માનસિક સહાય પૂરી પાડી અને જ્યાં જરૂરી હોય ત્યાં સલામત નિયંત્રણ સુનિશ્ચિત કર્યું હતું.

"રથયાત્રા દરમિયાન હાથીઓની દોડભાગની ઘટના બાદ તાત્કાલિક સહાય માટે વનતારાનો સંપર્ક કર્યો હતો.તેમની ટીમે જામનગરથી ઝડપથી પ્રતિક્રિયા આપી અને સ્થાનિક અધિકારીઓ અને સંભાળ લેનારાઓ સાથે સંકલન સાધીને હાથીની યોગ્ય સંભાળ માટે તેમના સ્થાનાંતરણની વ્યવસ્થા કરી હતી," તેમ ગુજરાતના મુખ્ય વન સંરક્ષક ડો. કે. રમેશ (આઇએફએસ) દ્વારા જણાવવામાં આવ્યું હતું.

જગન્નાથ મંદિર મેનેજમેન્ટે વનતારાના ત્વરિત પગલાં અને સમર્પણની પ્રશંસા કરી હતી. "વનતારાએ આ હાથીઓને તાત્કાલિક જરૂરી તબીબી સહાય અને પુનર્વસન મળે તે સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધતા દર્શાવી હતી," તેમ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ સમિતિના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું.

વનતારા વિશ્વનું સૌથી મોટું એલિફન્ટ કેર સેન્ટર ધરાવે છેજે 998 એકરમાં ફેલાયેલું છેતેમાં 100 એકરથી વધુ જગ્યામાં સમૃદ્ધમાનવસર્જિત જંગલનો સમાવેશ થાય છે. આ સેન્ટર સર્કસભીખ માંગવાપર્યટન અને લાકડા કાપવામાં અગાઉ ઉપયોગમાં લેવાયેલા 260 બચાવેલા હાથીઓને આજીવન સંભાળ પૂરી પાડે છે. આ સેન્ટર વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ પણ ધરાવે છે અને તેણે મહત્વની અનેક પશુચિકિત્સાને લગતી નવીનતાઓનો પાયો નાખ્યો છેજેમાં નર હાથી પર પ્રથમ મોતિયાની શસ્ત્રક્રિયા અને હાથીઓ માટે વિશ્વના પ્રથમ હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બરનો સમાવેશ થાય છે.

તેની સુવિધાઓમાં હાઈડ્રોથેરાપી પૂલકુદરતી તળાવોકાદવના ઢગલાપાણીના ફુવારારેતીના ઢગલા અને સાંકળ-મુક્ત મસ્થ એન્ક્લોઝરનો સમાવેશ થાય છે .જે બચાવાયેલા હાથીઓમાં વ્યાપક શારીરિક અને માનસિક સ્થિતિની પુનઃપ્રાપ્તિ કરાવવામાં મદદ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. વનતારાના એલિફન્ટ કેર સેન્ટરમાં 650થી વધુ પ્રોફેશનલ્સ કાર્યરત છે.જેમાં પશુચિકિત્સકોજીવ વિજ્ઞાનીઓ અને પ્રશિક્ષિત સંભાળ રાખનારાઓનો સમાવેશ થાય છે. જેઓ પ્રાણીઓને સકારાત્મક મજબૂતીકરણ પર આધારિત નૈતિકકરુણાપૂર્ણ સંભાળ પૂરી પાડે છે.