અમદાવાદ : SOG નાર્કોટિક્સે રીઢા ગુનેગારને પકડી પાડ્યો, 17 કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયો પેરોલ જમ્પ

New Update
અમદાવાદ : SOG નાર્કોટિક્સે રીઢા ગુનેગારને પકડી પાડ્યો, 17 કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયો પેરોલ જમ્પ

17 કિલો ગાંજા સાથે એક આરોપી પકડાયો

પેરોલ જમ્પ કરીને આરોપી નાસતો ફરતો હતો

અનેક ગુન્હામાં પકડાયેલો છે આરોપી

અનેક વાર ડ્રગ્સના ગુનામાં પકડાયેલ રીઢા આરોપીની ફરી એક વાર ગાંજા સાથે ધરપકડ કરાઈ. એસઓજીએ બાતમીના આધારે આરોપીને 17 કિલો ગાંજા સાથે પકડી પાડ્યો કોણ છે અવાર નવાર ડ્રગ્સનો ધંધો કરનાર શખ્સ. જોઈએ આ અહેવાલ માં.

દ્રશ્યોમાં દેખાતો આ આરોપી છે સલીમ ઉર્ફે ચા વાલા પટેલ. જે શાહ આલમ માં રહે છે. આરોપી ગાડી લઈને આવવાની બાતમી મળતા જ એસઓજી એ તેને જશોદા નગર થી ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી પોલીસને 17 કિલો ગાંજો મળી આવ્યો હતો. જે સુરતના એક શખ્સ પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપી પોતે જ ગાંજા નો ધંધો કરે છે અને વેચવા માટે લાવ્યો હોવાની કબૂલાત કરી છે. આરોપી ગાંજો લાવી ત્રણ ગણી કમાણી કરતો હતો સાથે જ અગાઉ તે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, દાણીલીમડા અને રાજકોટ માં એનડીપીએસ, પ્રોહીબિશન અને હથિયારના ગુનામાં પણ ઝડપાયો હતો. આરોપી પાસા માંથી બહાર આવે એટલે ફરી ડ્રગ્સ નો ધંધો કરવાની ટેવ હોવાનું સામે આવ્યું છે, ત્યારે હવે એસઓજીએ સુરતના ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.